Gujarati News

Gujarati News

News of Friday, 30th April 2021

મોરબી જલારામ મંદિર દ્વારા હોસ્પીટલે આવતા લોકો માટે વિનામુલ્યે પાણીની બોટલ તથા લીંબુ શરબત વિતરણ શરૂ

મોરબી : મીની લોકડાઉન ના પગલે પાન ના ગલ્લા બંધ થતા હોસ્પીટલે આવતા લોકો ને પીવા ના પાણી માટે મુશ્કેલીઓ વેઠવી પડી રહી છે તેમજ પ્રવર્તમાન સમયે કોરોના ની મહામારી મા સામાન્ય રીતે લોકો હોસ્પીટલ નુ પાણી પીવાથી દુર રહે છે ત્યારે બીજી બાજુ સુર્ય નારાયણ કોપાયમાન થઈ રહ્યા છે, કાળજાળ ગરમી એ માજા મુકી છે તેથી હોસ્પીટલે કલાકો સુધી લાઈન રહી ચેક-અપ માટે આવતા લોકો માટે મોરબી શ્રી જલારામ પ્રાર્થના મંદિર દ્વારા જલારામ ભક્તો ના સહયોગ થી ઠંડા પાણી ની બોટલ તથા લીંબુ શરબત વિતરણ શરૂ કરવા મા આવેલ પ્રમુખ નિર્મિત કક્કડની યાદીમાં જણાવાયું છે.

(10:11 pm IST)