Gujarati News

Gujarati News

News of Friday, 30th April 2021

કોરોનાને કારણે જુનાગઢ જેલનાં કેદીનું મૃત્યુ

સવારે સારવાર દરમિયાન અંતિમ શ્વાસ લીધા

(વિનુ જોષી) જુનાગઢ તા.૩૦ : કોરોનાએ જુનાગઢ જિલ્લા જેલમાં પગ પેસારો કરી એક કેદીને ભરખી લેતા અરેરાટી વ્યાપી ગઇ છે.

આ અંગે પ્રાપ્ત થયેલી વિગતો મુજબ જુનાગઢ જીલ્લા જેલના કાચા કામનો કેદી મીનાજ રસઝબઅલી પટેલ ઉ.વ.૪૮ સંક્રમિત થતાં તેને સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવેલ અને આજે ત્રણ દિવસની સારવારમાં તેનું મૃત્યુ નીપજયુ હતુ.

મૃતક કેદી હત્યાના ગુનામાં કાચા કામના કેદી તરીકે જુનાગઢ જેલમાં બંદી હતો.

આ કેદીનું મોત થયાની જાણ થતા જેલ અધિકારીઓ તથા એ ડીવીઝન ઇન્ચાર્જ પી.આઇ. એ.કે.પરમાર વગેરે દોડી ગયા હતા અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

કેદીનું કોરોનાને લઇ મૃત્યુ થયાની કદાચ પ્રથમ ઘટના છે.

(1:15 pm IST)