Gujarati News

Gujarati News

News of Friday, 30th April 2021

પોરબંદરમાં અર્જુનભાઇ મોઢવાડિયાના પ્રયાસથી સિવિલ હોસ્પિટલમાં વધુ પ ટન ઓકસીજન જથ્થો મંજુર

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર તા. ૩૦: પૂર્વ ધારાસભ્ય અર્જુનભાઇ મોઢવાડિયાના પ્રયાસથી સિવિલ હોસ્પિટલમાં દરરોજનો વધુ પ ટન ઓકસીજનનો જથ્થો મંજુર કરેલ છે. સિવિલ હોસ્પિટલમાં હવે દરરોજ ૧૦ ટન ઓકસીજનને બદલે કુલ ૧પ ટન ઓકસીજન દર્દીઓનાં ઉપયોગમાં વપરાશે.

પાંચેક દિવસ પહેલા ભાવસિંહજી સિવિલ હોસ્પિટલની બહાર તમામ બેડ ફુલ હોવાનું બેનર લગાડવામાં આવ્યું હતું જે સામે અર્જુનભાઇ મોઢવાડિયાએ રોષ વ્યકત કરીને કોરોના દર્દીઓની સેવા વધારવા સિવિલ સર્જનને રજુઆત કરી હતી ત્યારપછી તમામ બેડ ફુલનું બેનર ઉતારી લેવામાં આવ્યું હતું અર્જુનભાઇ મોઢવાડિયાએ સિવિલ હોસ્પિટલમાં ઓકસીમીટરની જરૂર હોય વધુ ૪૦ ઓકસીમીટર અર્પણ કર્યા હતાં ઉપરાંત દવાનો પુરતો જથ્થો ન હોય ઉચ્ચ કક્ષાએ રજુઆત કરીને પુરતો દવાનો જથ્થો મંગાવી આવેલ હતો સિવિલ હોસ્પિટલમાં જરૂર મુજબ ઓકસીજનનો જથ્થો પ ટન વધારી આપવામાં આવતા ઓકસીજન લેતા દર્દીઓમાં રાહત થઇ છે.

(1:12 pm IST)