Gujarati News

Gujarati News

News of Friday, 30th April 2021

કોરોનાએ કચ્છમાં વધુ ૫નો ભોગ લીધો : નવા ૧૮૬ કેસ સાથે સારવાર લેતા દર્દીઓ ૨૨૫૨

હોસ્પિટલોની બહાર ખાલી બેડની માહિતી : તંત્ર પાસે રેમડેસિવિર અને ઓકિસજનના સ્ટોક વિશેની માહિતી જાહેર કરો

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા. ૩૦ : કોરોના સંક્રમણ વચ્ચે કચ્છમાં વાસ્તવિક પરિસ્થિતિ કથળી રહી છે. સરકારી ચોપડે ચાલતા આંકડાના ખેલ વચ્ચે ૫ મોત દર્શાવાયા છે. નવા ૧૮૬ કેસ તેમ જ સારવાર લેતાં દર્દીઓની સંખ્યા ૨૨૫૨ બતાવાઈ છે.

જયારે ખાલી બેડ દર્શાવાયા છે. જોકે, વાસ્તવિક પરિસ્થિતિની વાત કરીએ તો, મૃત્યુ આંક, નવા પોઝિટિવ અને દાખલ દર્દીઓનો આંકડો વધુ છે.

દર્દીઓ માટે હોસ્પિટલમાં બેડ, ઈન્જેકશન, ઓકિસજન નથી ત્યારે દરેક હોસ્પિટલની બહાર ખાલી બેડ અંગે, તંત્ર પાસે રહેલા રેમડેસિવિર તેમ જ ઓકિસજનના જથ્થા અંગેની જાણકારી જાહેર કરવી જોઈએ.

(11:38 am IST)