Gujarati News

Gujarati News

News of Monday, 30th March 2020

લાલપુરના ખટિયા ગામની વૃધ્ધાનો પાણીના ટાંકામાં ડૂબી આપઘાત

ગેસ અને એસીડીટીની બીમારીથી કંટાળી પગલું ભર્યું

જામનગર તા. ૩૦ : જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના ખટીયા ગામ માં ચેતનભાઇ થાનકીના પ્લોટના નવા બાંધકામના સ્થળે રહેતા અને ચોકીદારી કરતા ચનાભાઈ દુધાભાઈ પરમાર નામના ૭૮ વર્ષના વયોવૃદ્ઘના પત્ની જયાબેન ચનાભાઈ પરમાર કે જેઓ છેલ્લા ત્રણેક મહિનાથી ગેસ અને એસીડીટી તથા માનસિક બીમારીથી પીડાતા હતા અને જામનગરની સમર્પણ હોસ્પિટલમાં મા તેમની દવા ચાલતી હતી. જે બીમારીથી તેઓ તંગ આવી ગયા હતા. અને પોતે જયાં રહે છે ત્યાં જ એક પાણીના હોજમાં પડતું મૂકી આત્મહત્યા કરી લીધી હતી.

આ બનાવ અંગે ચનાભાઈ એ પોલીસને જાણ કરતાં મેઘપર પોલીસે મૃતદેહને પાણીમાંથી બહાર કઢાવી પોસ્ટમોર્ટમ કરાવ્યું છે અને વધુ તપાસ હાથ ધરી છે. પોતાની બીમારીથી કંટાળી જઇ આ પગલું ભરી લીધાનું પોલીસ સમક્ષ જાહેર કરાયું છે.

(1:05 pm IST)