Gujarati News

Gujarati News

News of Monday, 30th March 2020

જામનગર : હરિદ્વારમાં ફસાયેલા સૌરાષ્ટ્રના યાત્રિકો પૂનમબેન માડમના પ્રયત્નોથી પરત ફર્યા

નરેન્દ્રભાઇ મોદી સહિત તંત્રનો આભાર વ્યકત કરતા શિવકથા કથાકાર હંસદેવગીરીબાપુ

જામનગર તા. ૩૦ : સુપ્રસિદ્ઘ શિવકથાકાર શ્રી સ્વામી હંસદેવગીરી બાપુએ જણાવ્યુ છે કે હરદ્ઘારમા ફસાયેલા જામનગર તેમજ દેવભૂમિદ્વારકા જિલ્લા સહિત સૌરાષ્ટ્ર ના યાત્રીકો હરદ્ઘારથી પરત ફર્યા તે માટે સંસદસભ્ય શ્રી પૂનમબેન માડમનો અમો સૌ ખુબ ખુબ આભાર માનીએ છીએ કેમકે સાંસદ બેનશ્રી અમારા માટે શકિતસ્વરૂપ બની મદદે આવ્યા તેમ જણાવી આ સુપ્રસિદ્ઘ શિવકથાકાર શ્રીએ આ તકે સાંસદ શ્રી પૂનમબેન માડમ અને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબનો આભાર માન્યો હતો.

ભારતમાં કોરોનાનું સંક્રમણ વધતાઙ્ગ ૨૧ દિવસના લોકડાઉનની જાહેરત કરાઈ છે તો લોકડાઉન પહેલા હરિદ્વારાની યાત્રાએ ગયેલા ગુજરાત અને સૈરાષ્ટ્રના યાત્રાળુઓ પરત ફરે તે પહેલા લોકડાઉનની જાહેરાત કરાઈ હતી જેથી યાત્રાળુઓ ત્યાં ફસાયા હતા જેની જાણ સાંસદ શ્રી પૂનમબેન માડમને થતા તેઓએ યાત્રાળુઓને પરત પહોંચવાઙ્ગ મદદ કરી હતી જેથી બધાજ યાત્રાળુઓને પોતાના વતન પહોંચ્યા અનેઙ્ગ મેડિકલ ચેકઅપ કરાવ્યા બાદ તેમને પરત ઘરે મોકલવાની કામગીરી હાથ ધરાઇ હતી.

કુલ યાત્રાળુઓમાંથી મોટાભાગના યાત્રાળુઓ ગુજરાત અને સૌરાષ્ટ્રના હતા અને પોતાના માદરે વતન પહોંચતા યાત્રાળુઓમાં ખુશીની લહેર જોવા મળી હતી સાથેજ સાંસદ શ્રી પૂનમબેન માડમ માટે ખુબ ખુબ આભારની લાગણીઓ સૌ એ વ્યકત કરી હતી.

ટ્રાવેલ્સ સર્વિસ પ્રોવાઇડરો દ્વારા શિવકથાનુ આયોજન હરદ્વારમા કરવામા આવ્યુ હતુ તે માટે સુપ્રસિદ્ઘ શિવકથાકાર શ્રી હંસદેવગીરી સ્વામીજી જેમનો કાલાવડ ના નવાગામ મા આશ્રમ છે તેઓના વ્યાસાસને આ ભગવદકથા યજ્ઞ યોજાયો હતો કથા પુર્ણ થયા બાદ તો લોકડાઉન હતુ માટે ત્યાથી મહંતશ્રીએ જામનગરના સંસદસભ્ય શ્રી પૂનમબેન માડમનો સંપર્ક કર્યો કે સૌ ભાવિકોને પરત આવવુ છે પરંતુ પરમીશન મળતી નથી જામનગર જિલ્લાના કાલાવડ તેમજ જામજોધપુર તાલુકાના ઉપરાંત દેવભૂમિ દ્વારકા જિલ્લાના અને સૌરાષ્ટ્રના મળી ત્રણસો જેટલા આ ભાવિક યાત્રીકો ફસાયા છે તે પરિસ્થિતિથી અવગત કરાવ્યા હતા તેમના માટે ગંભીરતા લઇ સંસદસભ્ય શ્રીઙ્ગ પૂનમબેન માડમ એ જામનગર જિલ્લા કલેકટર શ્રી-જિલ્લા મેજીસ્ટ્રેટશ્રીને વિધીવત ભલામણ પત્ર પાઠવી પરત ફરવા માટેની ખાસ પરમીટ તેમજ જરૂરીઙ્ગ કાગળો તાકીદેઙ્ગ કરાવી આપ્યા હતા.

જિલ્લા મેજીસ્ટ્રેટ શ્રી પાસેથી મળેલી પરમીટ ઉતરાખંડ સતાવાળાઓને આપી બાદમા તેના આધારે પાંચ બસ ફાળવવા માટે મંજુરી અપાઇ અને કાલાવડ અને જામજોધપુર તાલુકા દેવભૂમિ દ્વારકા જિલ્લાના યાત્રાળુઓ સહિત સૌરાષ્ટ્રના સૌ ભાવિકો હેમખેમ પરત વતનઙ્ગ ફર્યા હતા.

(1:03 pm IST)