Gujarati News

Gujarati News

News of Monday, 30th March 2020

ગારીયાધાર રામકૃષ્ણ જન્મોત્સવ મિતિ દ્વારા નિરાધારને ભોજન કીટ

 ગારીયાધારઃ રામકૃષ્ણ જન્મોત્સવ સમિતિ દ્વારા છેલ્લા બે દિવસથી લોકડાઉનના કારણે હેરાન-પરેશાન થતા નિરાધાર લોકોને તૈયાર ભોજનની કીટ વિતરણનુ કાર્ય શરૂ કરેલ છે. જેમા શહેરમાં  વસવાટ કરતા અપંગ નિરાધાર અને આર્થિક રીતે નિસહાય બનેલા ૪૦૦ જેટલા મહિલા અને પુરૂષોને બપોર-સાંજે બે ટાઇમ ટીફીન સેવા ચાલુ કરવામા આવી જે ટીટીન સેવામા રામકૃષ્ણ જન્મોત્સવ સમિતિના કાર્યકરો દ્વારા ડોર ટુ ડોર ટીફીન સેવા આપવામા આવી રહી છે. શુભારંભ ધરાસભ્ય કેશુભાઇ નાકરાણી, સમિતિના પ્રમુખ વસંતભાઇ ગોપાણી, ભાવેશભાઇ ગોરસીયા, મુકેશભાઇ સવાણી, સંજયભાઇ ગોરસીયા, રાજેશભાઇ જીવરાજાણી, જનકભાઇ રોય, તેમજ વિ.ડી.સોરઠીયા, નિલેષભાઇ રાઠોડ, સહિતના આગેવાનો દ્વારા કરવામા આવ્યુ હતું. ભોજનની કીટ વિતરણ કરવામા આવ્યુ તે તસ્વીર.

(11:35 am IST)