Gujarati News

Gujarati News

News of Monday, 30th March 2020

પોરબંદરમાં કોરોના વાયરસના વધુ શંકાસ્પદ કેસ

પોરબંદર તા. ૩૦: જિલ્લામાં કોરોના વાયરસના વધુ ૮ શંકાસ્પદ કેસના દર્દીઓને ભાવસિંહજી હોસ્પિટલના આઇસોએશન વોર્ડમાં દાખલ કરેલ છે જેના રિપોર્ટ જામનગર સરકારી મેડીકલ કોલેજમાં મોકલી આપેલ છે.

ભાવસિંહજી હોસ્પિટલના ઇનચાર્જ ડો. ડી. એમ. ઠાકોરના જણાવ્યા મુજબ કોરોનાના ૮ દર્દીઓને હોસ્પિટલમાં દાખલ કરેલ છે જયારે છેલ્લા દિવસ પહેલા  ૧૧ પુરૂષ અને ૮ સ્ત્રીઓને કોરોનાનાં શંકાને લઇ નીરીક્ષણ હેઠળ હોસ્પિટલમાં રાખેલ જેમાંથી ૪ વ્યકિતઓના નમુના લેવામાં આવેલ જે નેગેટીવ આવેલ હતા.

જિલ્લા કલેકટર અને અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ શ્રી રાજેશ તન્ના અને ડોકટરશ્રી રાઠોડ આપેલ માહિતી મુજબ સાંદિપની પાસે ઉભા કરાયેલ કવોરન્ટાઇન ખાતે ૧૩૦ વ્યકિતઓને રાખવામાં આવેલ જેમાં પ૩ વ્યકિતઓને સમય પૂર્ણ થતા ડીસ્ચાર્જ કરેલ છે ૭૭ ચકાસણીમાં રાખેલ છે. જિલ્લામાં ઉભા કરાયેલ એન્ટ્રી પોઇન્ટ પરથી ર૧પર૪ને સ્ક્રીનિંગ કરવામાં આવેલ છે. ડોર ટુ ડોર ચકાસણી ઘરોની ૯ર,૦૦૦૬૯૩ થઇ ૪ લાખ ૧૩ હજાર ૬૭૯ વ્યકિતઓને ચકાસેલ છે જે કામગીરી હજુ ચાલુ જ છે.

(11:01 am IST)