Gujarati News

Gujarati News

News of Monday, 30th March 2020

ભાવનગરમાં ૩૦૦ કેદીઓની ભૂખ હડતાલઃ પેરોલ પર છોડવા માંગઃ પ્રશાસનની સમજાવટ છતાં ૩૦૦થી વધુ કેદીઓએ અન્નનો ત્યાગ કર્યો

ભાવનગર તા. ૩૦ : ભાવનગર જિલ્લા જેલના કેદીઓ ભૂખ હડતાળ પર ઉતર્યા છે. જેમાંઙ્ગકોરોના સંક્રમણ ફેલાવા ના ભયને કારણે કાચા કામના કેદીઓએ પેરોલ પર છોડવા માંગ કરી રહ્યાં છે. તેમજઙ્ગજિલ્લા જેલમાં હાલ કાચા અને પાકા મળી ૪૮૩ કેદીઓ છે. કોરોના વાયરસ એ સંક્રમણથી ફેલાતો રોગ છે. જે એકબીજાના સંપર્કમાં આવવાથી ફેલાય છે. ત્યારે આ વાતની ગંભીરતા જાણી ભાવનગર જિલ્લા જેલમાં ૩૦૦ જેટલા કેદીઓએ અન્નનો ગઈકાલથી ત્યાગ કર્યો હતો.હાલની સ્થિતિને ધ્યાને લઇને પેરોલ પર છોડવાની માંગ કરી હતી.

જેલ પ્રશાસને સુપ્રીમ કોર્ટની ગાઈડ લાઈન પ્રમાણે ઉપર સુધી રજૂઆત કરી હતી.જો કે જિલ્લા પ્રશાસનના ઉચ્ચ અધિકારીઓની સમજાવટ છતાં ૩૦૦થી વધારે કેદીઓ ભૂખ હડતાલ પર ઉતરી ગયા હતા.

(11:00 am IST)