Gujarati News

Gujarati News

News of Monday, 30th January 2023

જુનાગઢના "સૌરાષ્ટ્ર ભૂમિ" દૈનિકના તંત્રી કાર્તિકભાઈ ઉપાધ્યાયનું અવસાન : સાડા ચાર દાયકાનો પત્રકાર જગત સાથે નાતો હતો : ટૂંકી સારવાર બાદ અમદાવાદમાં અંતિમ શ્વાસ લીધા

(વિનુ જોશી દ્વારા)જુનાગઢ તા.૩૦

        જૂનાગઢના સૌરાષ્ટ્ર ભૂમિ દૈનિકના તંત્રી કાર્તિકભાઈ આર ઉપાધ્યાય (ઉ.વ.૬૨)નુ આજે અમદાવાદ ખાતે ટૂંકી બીમારી બાદ અવસાન થયેલ છે.

         47 વર્ષથી સૌરાષ્ટ્ર ભૂમિ દૈનિકના તંત્રી તરીકે તેઓ કાર્યદાર સંભાવના અને અંતિમ શ્વાસ સુધી કાર્યરત રહ્યા હતા અને તેમના પુત્ર અભિજીત ઉપાધ્યાય પણ સૌરાષ્ટ્ર ભૂમિની કામગીરી સંભાળી રહ્યા છે.

       કાર્તિકભાઈ ઉપાધ્યાય તેમના પરિવારમા પત્ની રશ્મિબેન , પુત્ર અભિજીત , પુત્રવધુ નિષ્ઠાબેન પૌત્રી તેમજ પુત્રી ભાવિનીબેન મિલનભાઈ ગાંધી તેમજ એકતાબેન સિદ્ધાર્થભાઈ ત્રિવેદી , શૈલાબેન ચિરાગભાઈ જોશી , રીધ્ધીબેન ખુશાલભાઈ પારેખ સહિતના ને વિલાપ કરતા છોડી ગયા છે.

 કાર્તિકભાઇની અણધારી વિદાયથી પત્રકાર જગતમાં શોકની લાગણી છવાઈ છે.

 

(8:14 pm IST)