Gujarati News

Gujarati News

News of Monday, 30th January 2023

જામનગરમાં પસમાંદા મુસ્લિમ સમાજ ઉત્થાન સમિતિ સંઘની પ્રદેશ બેઠક મળી : પ્રદેશ મંત્રીની નિયુકિત

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર, તા.૩૦: જામનગરમાં પસમાંદા મુસ્લીમ સમાજ સમિતિ સંઘના રાષ્ટ્રીય મુખ્ય સંરક્ષક તેમજ પૂર્વ મેમ્બર હજ કમિટી ઓફ ઇન્ડિયા, પૂર્વ મેમ્બર ઓફ ભ્ખ્ઘ્ રેલ્વે બોર્ડ, પૂર્વ રાષ્ટ્રીય મેમ્બર સેન્ટ્રલ વકફ બોર્ડ, પૂર્વ રાષ્ટ્રિય ઉપાધ્યક્ષ ગ્થ્ભ્ માઈનોરિટી મોરચાના ઈરફાન અહેમદજી, રાષ્ટ્રીય મંત્રી તેમજ હજ કમિટી ઓફ ગુજરાત ના ડાયરેકટર અકરમભાઈ શાહ, ગુજરાત પ્રદેશ પ્રભારી તેમજ પૂર્વ હજ કમિટી ઓફ ગુજરાતના ચેરમેન એવા પ્રો. મોહમ્મદઅલી કાદરી, પ્રદેશ પ્રમુખ સુલેમાનભાઈ ગઢીયા, પ્રદેશ મંત્રી હુસેનભાઈ દલ, સૌરાષ્ટ્ર ઝોનના મીડિયા પ્રભારી ઐયાજભાઈ કાલવાત સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં જુના કુંભારવાડા વિસ્તારમાં આવેલા પીર મહેબૂબશાહઙ્ગ મોતીવારા દરગાહ પાસે પ્રદેશ બેઠક યોજાઇ હતી.ઙ્ગ

જામનગરના જુના કુંભારવાડા વિસ્તારમાં આવેલા સૌરાષ્ટ્રના પ્રસિદ્ઘ એવા પીર મહેબૂબ શાહ મોતીવાલા ની દરગાહ પર પસમાંદા મુસ્લીમ સમાજ સમિતિ સંઘના અગ્રણીઓએ ખાસ મુલાકાત લઈ ચાદર ચડાવી હતી અને પુષ્પ અર્પણ કરી વિશ્વ શાંતિ તેમજ ભાઈચારા ઉપરાંત ભારતની તરફથી અને વિશ્વ ગુરુ ભારત બને તે માટે ખાસ દુઆ કરી હતી.ઙ્ગ

જામનગરમાં પ્રદેશ બેઠક દરમિયાન વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના દરેક સમાજના લોકો સમાંતર ભાવનાથી આગળ વધે તેવા સુભાશયને ધ્યાને લઈ માઇનોરીટી સમાજના ઉત્થાન માટે યોજનાબ્ધ્ધ પસમાંદા મુસ્લિમ સમાજ ઉત્થાન સમિતિ સંઘ ગુજરાત અને જામનગરમાં સંગઠન શકિતથી આગળ વધવા જઈ રહ્યું છે. જે અંગે વિચારણા કરવામાં આવી હતી.

પસમાંદા મુસ્લિમ સમાજ ઉત્થાન સમિતિ સંઘ ગુજરાતના પ્રદેશ મંત્રી તરીકે ચાવડા રજ્જાકભાઈ કાસમભાઈને નિયુકત કરાયા હતા. જેથી ઉપસ્થિત સૌ કોઈ અગ્રણીઓએ નવા વરાયેલા હોદ્દેદારને અભિનંદન પાઠવી સાથ સહકાર આપવા કોલ આપ્યો હતો.

આ પ્રસંગે નવા વરયેલા પસમાંદા મુસ્લિમ સમાજ ઉત્થાન સમિતિ સંઘ ગુજરાતના પ્રદેશ મંત્રી રજ્જાકભાઈ ચાવડાએ સંગઠનને મજબૂત બનાવવા અને જામનગર ઉપરાંત અન્ય ગુજરાત રાજયના શહેરો અને જિલ્લાઓમાં માળખું મજબૂત બનાવવા માટે પ્રયત્નશીલ રહેશે તેવું જણાવ્યું હતું. આવનારા સમયમાં મુસ્લિમ સમાજ પણ અન્ય સમાજની માફક સધ્ધર બની દેશહિત અને રાષ્ટ્રહિતમાં પોતાનું યોગદાન આપે તેવા પ્રયત્નો કરવા કટિદ્ઘતા દર્શાવી હતી.

પસમાંદા મુસ્લિમ સમાજ ઉત્થાન સમિતિ સંઘ સંસ્થા નો મુખ્ય હેતુ સામાજિક અને આર્થિક રીતે આગળ વધારવા, વિધાર્થીઓ ને શિક્ષણ પ્રત્યે આગળ લાવવા, સરકાર તરફથી મળતી જન કલ્યાણ નીતિઓ પ્રજા સુધી પોહચડવી, દરેક ધર્મ જાતિ અને દરેક વર્ગ ના લોકો સાથે રહી રાષ્ટિ્નર્માણ માં ભાગીદાર થઈ દેશ ને વિકાસ તરફ લઈ જવાનો જણાવી રાષ્ટ્રવાદી વિચારધારા સાથે મુસ્લિમ સમાજના દરેક લોકોને જોડાવા આહવાન કરવામાં આવ્યું હતું.

(12:07 pm IST)