Gujarati News

Gujarati News

News of Monday, 30th January 2023

પ્રજાસત્તાક પર્વ નિમિત્તે સંગીતકાર વિપુલ ત્રિવેદીને ‘‘જૂનાગઢ રત્‍ન'' એનાયત કરાયો

 જૂનાગઢ :  ૨૬મી જાન્‍યુઆરી ૨૦૨૩ના રોજ ૭૪મા પ્રજાસત્તાક પર્વ નિમિત્તે, જૂનાગઢ જિલ્લા વહીવટી તંત્ર અને યુવક સેવા સાંસ્‍કળતિક બાબતો વિભાગ-ગાંધીનગર દ્વારા  સંગીત ક્ષેત્રે વિશેષ સિદ્ધિઓ બદલ જાણીતા સંગીતકાર અને સંગીત ગુરૂ સપ્તક સંગીત વિદ્યાલયના સંચાલક   વિપુલભાઈ ત્રિવેદીને ‘‘જૂનાગઢ રત્‍ન'' એનાયત કરવામાં આવ્‍યો હતો.કેબિનેટ મંત્રી  રાઘવજીભાઈ પટેલ, કલેક્‍ટર  રચિત રાજ અને ધારાસભ્‍ય સંજયભાઈ કોરડીયા અને  અધિકારીઓ મોટી સંખ્‍યામાં નાગરિકો અને વિદ્યાર્થીઓની હાજરીમાં  વિપુલભાઈ ત્રિવેદીનુ સન્‍માન કરવામાં આવ્‍યું હતું.(અહેવાલ : વિનુ જોષી, તસ્‍વીર : મુકેશ વાઘેલા,જૂનાગઢ)

(10:49 am IST)