Gujarati News

Gujarati News

News of Wednesday, 30th January 2019

વઢવાણનાં યુવકનું મોતઃ પરિવારજનો દ્વારા હોસ્પિટલની બેદરકારીનો આક્ષેપ

 વઢવાણ, તા.૩૦: વઢવાણ ગણપતિ ફાટસર વિસ્તારમાં રહેતા ૪૬ વર્ષના મુકેશભાઈ ધનજીભાઈ રાઠોડ સોમવારે ઘરે પડી ગયા હતા. આથી તેઓને સુરેન્દ્રનગરની હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા. જયાં ડોકટરે મગજની આંચકી આવી હોવાનું કહીને સારવાર આપવાની સાથે આઇસીયુમાંથી તા. ૨૯ને મંગળવારે હોસ્પિટલે રજા આપી દીધી હતી. ઘરે ગયા બાદ બપોરના સમયે મુકેશભાઈ ફરી પડી જતા ૧૦૮ દ્વારા હોસ્પિટલે લવાયા હતા. જયાં સારવાર કારગત ન નિવડતા મુકેશભાઈનું મોત થયુ હતુ. જેમાં તેઓનું મોત હોસ્પિટલની બેદરકારીના કારણે થયુ હોવાના પરિવારે આક્ષેપો કર્યા હતા.

આ અંગે મૃતકના પિતરાઇભાઈ જયંતીભાઈએ જણાવ્યું કે, હાલ અમો મુકેશભાઈની લાશને પીએમ માટે ગાંધી હોસ્પિટલે લાવ્યા હતા. પરંતુ મોતનું સાચુ કારણ જાણવા માટે ડોકટરની પેનલો દ્વારા મૃતકનું પીએમ કરવા માટે રાજકોટ લઇ જઇએ છીએ અને પોલીસ ફરિયાદની તજવીજ ચાલુ છે. પોલીસ દોડી આવીને તપાસ હાથ ધરી હતી.(૨૩.૭)

 

(4:03 pm IST)