Gujarati News

Gujarati News

News of Monday, 29th November 2021

ભારતીય જનતા પાર્ટી જુનાગઢની કારોબારી બેઠક

જુનાગઢ : મહાનગર મીડીયા વિભાગના સંજય પંડયાની યાદી જણાવે છે કે ભારતીય જનતા પાર્ટી જુનાગઢ મહાનગરની કારોબારી બેઠક પુનિતભાઇ શર્માનાં અધ્યક્ષસ્થાને યોજાઇ હતી. જેમાં સંગઠન પ્રભારી ચંન્દ્રશેખરભાઇ દવે તેમજ સાંસદ રાજેશભાઇ ચુડાસમા ઉપસ્થિત રહ્યા હતા.  રાજકીય પ્રસ્તાવ જુનાગઢનાં મેયર ધીરૂભાઇ ગોહિલ રજુ કર્યો હતો અને રાજકીય પ્રસ્તાવની દરખાસ્ત સંજયભાઇ કોરડીયાએ મુકી હતી જેમાં પૂર્વ મેટર આદ્યશકિતબેન મજમુદારે અનુમોદન આપ્યું હતું. આયોજન મહામંત્રી સંજયભાઇ મણવર દ્વારા રજુ કરવામાં આવ્યું હતું. યુવા સાંસદ રાજેશભાઇ ચુડાસમા તથા મહાનગરના પ્રભારી ચંદ્રશેખરભાઇ દવેએ વકતવ્ય આપ્યું હતું અને આભાર વિધિ ઓમભાઇ રાવલે કરી હતી.  સંચાલન મહામંત્રી ભરતભાઇ શીંગાળાએ કર્યુ હતું. બેઠકમાં મહાનગરના મહામંત્રી શૈલેષભાઇ દવે, શાસક પક્ષનાં નેતા નટુભાઇ પટોળીયા પૂર્વ ડેપ્યુટી મેયર ગીરીશભાઇ કોટેચા, મહાનગરનાં કોર્પોરેટરો, સંગઠનના હોદ્દેદારો કારોબારી સભ્યો, મોરચાના પ્રમુખ મહામંત્રી અલગ અલગ વિભાગ અને સેલના હોદેદારો વોર્ડ પ્રભારી પ્રમુખ મહામંત્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

(12:51 pm IST)