Gujarati News

Gujarati News

News of Monday, 29th November 2021

ઉંપલેટામાં ૨૩ વર્ષીય બાવાજી યુવકે આત્મહત્યા કરી

 (ભરત દોશી દ્વારા) ઉંપલેટા : ઉંપલેટા શહેરના મંડપ રોડ પર રહેતા બાવાજી પરિવારના યુવકે પોતાના ઘરે ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા શોકનું મોજુ પ્રસર્યુ હતુ.વિગત મુજબ મંડપ રોડ પર રહેતા ૨૩ વર્ષીય દર્શિલ કનુભાઈ નિમાવત નામના રામાનંદી યુવકે પોતાના ઘરે કોઈ અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી લેતા મોત નીપજયું હતુ. આ ઘટનાની જાણ થતાં તાત્કાલિક પોલીસ ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી યુવકના મૃતદેહને સરકારી કોટેજ હોસ્પિટલ ખાતે પી.એમ. અર્થે લઈ જવામાં આવ્યો હતો.સાચી હકીકત પોલીસ તપાસ અને પીએમ રિપોર્ટ બાદ જ જાણવા મળશે હાલ મૃત્યુનું કારણ અકબંધ છે.

 

(11:01 am IST)