Gujarati News

Gujarati News

News of Monday, 29th November 2021

કાલાવડમાં સંવિધાન ગૌરવ યાત્રા

 કાલાવડઃ ભારતીય જનતા પાર્ટી-જામનગર જિલ્લા અનુ.જાતિ મોરચા દ્વારા ભારત દેશને ૨૬મી નવેમ્‍બર ૧૯૪૮ના દિવસે ભારત રત્‍ન શ્રધ્‍ધેય ડો. ભીમરાવ આંબેડકરજી દ્વારા સંવિધાન ભેટ આપવામાં આવેલ. આ મહાદિવસની યાદમાં તા. ૨૬-૧૧-૨૦૨૧ને શુક્રવારના રોજ કાલાવડ ખાતે સંવિધાન ગૌરવ યાત્રાનું આયોજન થયેલ. જેમાં ઉપસ્‍થિત શહેર ભાજપ પ્રમુખ હસુભાઈ વોરા, કાલાવડ નગરપાલિકા પ્રમુખ અજમલભાઈ ગઢવી, શ્રી રામદૂત સેવા સમિતિ પ્રમુખ જેન્‍તીભાઈ પટેલ, કાલાવડ પાલિકા સદસ્‍ય મનોજભાઈ પરમાર, કાનજીભાઈ કાપડીયા તેમજ મોહનભાઈ બોરીયા તેમજ યાત્રામાં કાલાવડ શહેર-ગ્રામ્‍યજનો મોટી સંખ્‍યામાં જોડાયેલ. ગૌરવ યાત્રાની તસ્‍વીર.

 

(10:17 am IST)