Gujarati News

Gujarati News

News of Sunday, 29th November 2020

દૂધાળાના શ્રમિકનું ઠુંઠવાઇ જવાથી અમરેલીમાં મૃત્યુ

રાજયમાં ઠંડી વધશેઃ નલિયા ૧૦ ડીગ્રી

અમરેલી : અમરેલીમાં મંજૂરી અર્થે આવેલ ભાણવડ તાલુકાના દૂધાળા ગામના યુવાનની અમરેલી કેરિયા રોડ ગરનાળા પાસેથી ઠુંઠવાઇ ગયેલ હાલતમાં લાશ મળી આવી હતી. મૃતક નશાની હાલતમાં સુતો હતો.

અમરેલીમાં મજૂરી કામ અર્થે આવેલા મુળ દેવભૂમિ દ્વારકાના જિલ્લાના ભાણવડ તાલુકાનાં દૂધાળા ગામની વતની રસિકગીરી કાનગીરી અપારનાથી (ઉ.૪૦ જુના માર્કેટ યાર્ડ દુકાન નં. ૪ માં મજૂરી કામ કરતા ગઇ રાત્રીના તેની કેરિયા રોડ ગરનાળા નીચેથી લાશ મળી આવી હતી. સીટી પોલીસે લાશનો કબજા લઇ સરકારી હોસ્પિટલમાં લઇ જતાં ત્યાં તબીબ દ્વારા મૃતકનું ઠંડી લાગવાથી મૃત્યુ થયું હોવાનું ખુલ્યું હતું. મૃતક દારૂની ટેવવાળા હોઇ અને તેના કારણે તેનું લીવર પણ ખરાબ થઇ ગયું હતું.

(1:35 pm IST)