Gujarati News

Gujarati News

News of Friday, 29th November 2019

બગસરાઃ વિચરતી જાતિ માટે પ્લોટ અંગે

 બગસરાઃ અટલપાર્ક સરાણીયા વિસ્તારમાં વિચતરી અને વિમુકત જાતિના સરાણીયા, લુહારિયા, દેવીપુજક વગેરે સમુદાયના લોકો સાથે વિચરતા સમુદાય સમર્થન મંચ સંસ્થા ઘણા સમયથી કામ કરી રહી છે અને આ સમુદાયના લોકોના આધાર પુરાવા કાર્યકર રમેશભાઇ મકવાણા દ્વારા મહેનત કરીને અપાવ્યા છે. હવુ લોકોને રહેવા માટે પ્લોટ મળે તેના સંદર્ભે મિટીંગનુ આયોજન કરવામા આવ્યુ હતું. જેમા સંસ્થાના સેક્રેટરી મિત્તલબેન પટેલ,  વિશ્વ વાત્સલ્ય માનવસેવા સંસ્થાના દેવચંદભાઇ, વ્યસન મુકિત માટે કિશોરભાઇ અને બગસરા નાયબ મામલતદાર વિસાણી દ્વારા વિચરતી વિમુકત જાતિના લોકોના પ્રશ્ર સાંભળી તેમના નિરાકરણ માટે શું કરી શકાય એ બાબતે મિટીંગ કરીને લોકોને યોગ્ય માર્ગદર્શન આપી સરકારમા રજુઆત કરી હતી. મિટીંગનું આયોજન સંસ્થાના કાર્યકર રમેશભાઇ મકવાણા દ્વારા કરવામા આવ્યુ હતું. મીટીંગ મળી તે તસ્વીર.

(12:01 pm IST)