Gujarati News

Gujarati News

News of Friday, 29th November 2019

દામનગર સીનીયર સીટીઝન ટ્રસ્ટ દ્વારા સર્વરોગ નિદાન કેમ્પ સંપન્ન

દામનગર,તા.૨૯: દામનગર સિનિયર સીટીઝન ટ્રસ્ટ અને શ્રી ભુરખિયા હનુમાનજી મંદિર ટ્રસ્ટ ગાયત્રી પરિવાર ટ્રસ્ટના સંયુકત ઉપક્રમે સર્વરોગ નિદાન કેમ્પ અને નેત્રયજ્ઞ યોજાયો શકિતપીઠ ગાયત્રી મંદિર ખાતે યોજાયેલ આરોગ્ય સેવામાં ગુજરાત રાજય હોમિયોપેથીક તબીબી નિયામક અને જિલ્લા પંચાયત આર્યુવેદીક દવાખાનાના સહયોગ થી ડો મનીષભાઈ જેઠવા એ સેવા આપી હતી

નેત્રયજ્ઞમાં રાજકોટ સ્થિત રણછોડદાસબાપુ ટ્રસ્ટ ની હોસ્પિટલના નિષ્ણાત તબીબોની સેવાએ નેત્રયજ્ઞમાં સંપૂર્ણ મફત આંખ ને લગતા તમામ રોગની તપાસ સારવાર સાથે મોતિયાના દર્દીનોને મોતિયાના નેત્રમણી આરોપણ સાથે ઓપરેશન કરી આપતી સેવાનો લાભ દામનગર શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારોના જરૂરિયાત મંદ દર્દી નારાયણોએ લાભ મેળવ્યો હતો

શહેરના ગાયત્રી મંદિર ખાતે સવારના શરૂ કરાયેલ નેત્રયજ્ઞ એવમ સર્વ રોગમાં ખૂબ મોટી સંખ્યામાં જરૂરિયાત મંદ દર્દી ઓ એ લાભ મેળવ્યો હતો.

(12:01 pm IST)