Gujarati News

Gujarati News

News of Friday, 29th November 2019

હળવદ ભાજપ શાસિત પાલિકામાં એલઇડી લાઇટનાં ટેન્ડર મુદે તમાશો

અંદરો-અંદર ખેંચતાણનાં કારણે શહેરીજનોને ભારે હાલાકીઃ આક્ષેપોને નકારતા આગેવાનો

 હળવદ, તા.૨૯: ભાજપ શાસિતઙ્ગ પાલિકા માં ભાજપના જ બે જૂથ એકબીજાને ભરી પીવા સામે પડ્યા હોઈ એવી નગરજનો માં ભારે ચર્ચા જાગી છેઙ્ગ જેમાંઙ્ગ શાસક પક્ષ ભાજપના જ એક સદસ્ય દ્વારા લાઈટના ટેન્ડરમાં કારોબારી ચેરમેને લાઈટ સમિતિના ચેરમેને પોતાના માણસોને ટેન્ડર આપી દીધું હોવાનું રાજકોટ કમિશનરનેઙ્ગ ઙ્ગરજુઆત કરાઈ છે તો સામા પક્ષે લાઈટ સમિતિના ચેરમેન અને કારોબારી ચેરમેને જણાવ્યું હતું છે કેઙ્ગ ટેન્ડર અમે મંજુર કર્યું જ નથી હજુ સુધી કોને આપવામાં આવશે તે પણ નક્કી નથી કરાયું જેથી અમારા પર આક્ષેપ કરવામાં આવી રહ્યા છે તદ્દન પાયાવિહોણા છે.

હળવદ પાલિકામાં પાછલા થોડા મહિનાઓથી અંદરોઅંદરની ખેંચતાણ ને પગલે શહેરીજનો વિકાસ રુંધાઈ રહ્યો છે તેવામાં ભાજપના જ વોર્ડ નંબર એક ના પાલિકા સદસ્ય અશ્વિનભાઈ કણજારીયા એ રાજકોટ કમિશનરને લેખિત રજૂઆત કરી જણાવ્યું છે કે પાલિકા દ્વારા એલ.ઇ. ડી લાઈટ તથા માલ-સામાન નું ટેન્ડર બહાર પાડવામાં આવેલ જેમાં સાત આસામીઓ દ્વારાઙ્ગ ટેન્ડર ભરવામાં આવ્યા હતા . આ ટેન્ડરમાં કારોબારી ચેરમેન દ્વારા અનઅધિકૃત રીતે કારોબારી ચેરમેન દ્વારા ઠરાવ નંબર સાત થી ગોલ્ડન કંપનીને ટેન્ડર આપવા માટે ગેરકાયદેસર ઠરાવઙ્ગ કરેલ છે અને ગોલ્ડન કંપની દ્વારા એના ટેન્ડરમાં લખ્યા મુજબ જીએસટી અલગથી લેવામાં આવશે અને ટેન્ડર માં દસ આઇટમ ના ભાવ પણ લખવામાં આવેલ છેઙ્ગ

આ બાબતે લાઈટ શાખાના ચેરમેન દ્વારા પત્ર લખવામાં આવે છે કે આ સિવાયના છ ટેન્ડર શા માટે રદ નો કરવામાં આવે ઉલ્લેખ છે અને આ સાથે લેટરપેડ ની નકલ પણ સામેલ છે અને આ અગાઉ કારોબારીમાં નેગોસેસ કરવાની ચર્ચા થયેલ છતાં કોઈ આસામીને લેખિત જાણ કરીને નેગોસેસ કરવામાં આવેલ નથી તો આ બાબતે કોઈ અંગત સ્વાર્થ માટે પાલિકાના હિતને નુકસાન ન કરી શકાય જે અંગેની રાજકોટ કમિશનરને રજૂઆત કરવામાં આવી છે.

જયારે આ આક્ષેપો અંગે લાઈટ શાખા ના ચેરમેન અવનીબેન જોશી એ જણાવ્યું હતું કે હજુ કોઈ જ ટેન્ડર મંજુર નથી થયા સાથે વધુ માં જણાવ્યું હતું કે પાલિકા સદસ્ય દ્વારા જે અમારા પર તદ્દન પાયાવિહોણી આક્ષેપ કરવામાં આવી રહ્યા છે તે અંગેઙ્ગ જણાવવા માગું છું કે એલેડી લાઈટના સાત કમ્પનીઓએ ટેન્ડર ભર્યા હતા જે તારીખ ૧૯/૧૦ના રોજ ખોલવામાં આવ્યા હતા પરંતુ હજુ સુધી કોઈ પણ કંપનીનું ટેન્ડર મંજૂર કરવામાં આવ્યું નથી અમારા સદસ્યો દ્વારા જે આક્ષેપ લગાવવામાં આવી રહ્યા છે તે તદ્દન પાયાવિહોણા અને સાવ ખોટા પણ છે.

આ બાબતે એવું જાણવા પણ મળેલ છે કે હજુ સુધી કોઈ જ વર્ક ઓર્ડર અપાયો નથી ત્યારે વિપક્ષ કોંગ્રેસે પણ આ પ્રકરણ માં જંપલાવતાઙ્ગ શહેર ના રાજકારણ માં ગરમાવો આવી ગયો છે.

આ અંગે વિરોધ પક્ષ ના સદસ્ય વાસુદેવભાઈ પટેલ એ જણાવ્યું હતું કે પાલિકાના ખુદ ભાજપના સભ્યો દ્વારા સામ સામે આક્ષેપ કરવામાં આવી રહ્યા છે જેના કારણે શહેરનો વિકાસ રુંધાઈ રહ્યો છે તો બીજી તરફ એવા પણ ધગધગતા સવાલો કરવામાં આવ્યા હતા કે પાલિકા દ્વારા શહેરમાં નખાયેલ ડસ્ટબિન કૌભાંડ,રિવરફ્રન્ટ કૌભાંડ, રહસ્યમય રીતે મળી આવેલ ૭૦૦ જેટલી એલઇડી લાઇટો આવા અનેક કૌભાંડ સામે આવ્યા છે ત્યારે આ બાબતની કેમ કોઈ ઉચ્ચ સ્તરે રજૂઆત કરી તપાસ નથી મંગાતી આ રજૂઆતો પણ મને તો પોતાના સ્વાર્થ ખાતર જ કરાતી હોવાનું લાગી રહ્યું છે

જયારે રાજકીય જાણકારો અને શહેરી જનો માં ચર્ચાતી વિગતઙ્ગ મુજબઙ્ગ ઙ્ગજે રાજકોટ કમિશનરને રજૂઆત કરાઇ છે જેમાં અમુક લોકો ના પોતાના માણસનું ટેન્ડર મંજૂર ન થતા અને પોતાનો સ્વાર્થ ન સધાતા રાજકોટ કમિશનર ને રજૂઆત કરાઈ હોવા ની શકયતાઓ હોઈ શકે.ઙ્ગ ખેર જોકે હકીકત શું છે એ તો સમય આવ્યે જ સાચી ખબર પડશે. પરંતુ હાલ માં ભાજપ શાસિત પાલિકા માં પાર્ટી લાઈન ના ધજાગરા ઉડી રહ્યા છે જેનો.તમાશો લોકો નિહાળી રહ્યા છે.

(12:03 pm IST)