Gujarati News

Gujarati News

News of Thursday, 29th November 2018

ભાવનગર ખાતે ગુજરાતમાં વસતા અંધ અભ્યુદય મંડળના પ્રજ્ઞાચક્ષુ સભ્યોનું તા. ૧ર-૧૩ જાન્યુ.એ અધિવેશન

ભાવનગર, તા. ર૯ : શ્રી અંધ અભ્યુદય મંડળ-ભાવનગર દ્વારા રાજયભરમાં વસતા સભ્યોશ્રીઓને માહિતગાર કરવામાં આવે છે કે- મંડળનું અધિવેશન અને ૬૦મી સામાન્ય સભા પ્રમુખશ્રી લાભુભાઇ સોનાણીના અધ્યક્ષ સ્થાને આગામી તા. ૧ર અને  ૧૩ જાન્યુઆરી, ર૦૧૯ના રોજ નવજવાન સિંધી સેવા મંડળ હોલ, ભાંગલી ગેઇટ પાસે, સિંધુનગર, ભાવનગર યોજાશે. આ બે દિવસો દરમિયાન સંસ્થાની વિવિધ પ્રવૃતિઓની ચર્ચા કરવામાં આવશે. વિકલાંગતા અધિકાર અધિનિયમ ર૦૧૬ના સુચારૂ અમલ માટે વિવિધ રજુઆતો જેવી કે સંગીત શિક્ષકોની બંધ કરવામાં આવેલી ભરતી અંગે, વિકલાંગતા નિગમની ત્વરીત રચના જેવા અગત્યના મુદાઓ પર ગહન ચર્ચાઓ કરવામાં આવશે. કાર્યક્રમો ઘડવામાં આવશે. આ ઉપરાંત વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ વિતરણ, એવોર્ડ વિતરણ, જરૂરીયાતમંદ પ્રજ્ઞાચક્ષુ સભ્યોને તબીબી સહાય, અન્નપુર્ણા યોજના હેઠળ અનાજ કીટનું વિતરણ જેવા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે. અધિવેશનમાં ભાગ લેવા આવનાર સભ્યોએ પોતાના સહાયક સહિતની સંખ્યા મંડળના મંત્રીશ્રી  મો. ૯૪ર૬૪ ૬પ૧૭૬ પર મોડામાં મોડુ તા. ૧૦ જાન્યુઆરી સુધીમાં જાણ કરી નોંધાવવા તેમજ સરકારશ્રી સમક્ષ કોઇપણ રજુઆત કરવાની હોય તો તેની મુદાસર રજુઆત લેખિતમાં મોડામાં મોડી તા. ૮ જાન્યુઆરી ર૦૧૯ સુધીમાં સંસ્થાના એડ્રેસ અંધ અભ્યુદય મંડળ-૩૭, ગ્રાઉન્ડ ફલોર, કાવેરી કોમ્પ્લેક્ષ, નવાપરા, ભાવનગર પર મોકલી આપવા સુચિત કરવામાં આવે છે.(૮.પ)

(12:11 pm IST)