Gujarati News

Gujarati News

News of Thursday, 29th November 2018

મેંદરડાનાં કેનેડીપુરનાં યુવાનનો ગળાફાંસો

ઝેરી ટીકડા ખાતા યુવકનું મોત

જૂનાગઢ, તા.૨૯: મેંદરડાનાં કેનેડીપુરનાં લખમણ સવજી રાઠોડ (ઉ.વ.૨૨) નામનાં યુવાને ગળાફાંસો ખાઇ લેતા અરેરાટી વ્યાપી ગઇ હતી.

મરનાર યુવાન મોરબી ખાતે કામકાજ કરતો હતો. પરંતુ આ ગમતુ ન હોય જેથી કંટાળી જઇને લખમણભાઇએ ઝાડ સાથે લટકીને આત્મહત્યા કરી લીધી હતી.

મોત

મેંદરડાના ભાવેશભાઇ પ્રભુદાસ વાજા (ઉ.વ.૪૦) નામનાં યુવાનનું કોઇ કારણસર ઝેરી ટીકડા ખાવાથી મૃત્યુ નિપજતા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.

(12:01 pm IST)