Gujarati News

Gujarati News

News of Thursday, 29th November 2018

સાવરકુંડલામાં ૨૨ વર્ષના વનરાજે ઝેરી દવા પી જિંદગી ટૂંકાવી લીધી

દેવીપૂજક યુવાને રાજકોટ હોસ્પિટલમાં દમ તોડ્યોઃ પરિવારમાં શોક

રાજકોટ તા. ૨૯: સાવરકુંડલામાં અનાજના ગોડાઉન પાસે રહેતાં ૨૨ વર્ષના દેવીપૂજક યુવાને ઝેરી દવા પી આપઘાત કરી લેતાં પરિવારમાં શોક છવાઇ ગયો છે.

વનરાજ જેન્તીભાઇ પરમાર (ઉ.૨૨) નામના યુવાને પરમ દિવસે સાંજે છએક વાગ્યે ઘરે કોઇ કારણોસર ઝેર પી લેતાં બેભાન થઇ જતાં સાવરકુંડલા, અમરેલી હોસ્પિટલમાં સારવાર અપાવી રાજકોટ સિવિલમાં ખસેડાયો હતો. અહિ ગત મોડી રાત્રે મોત નિપજ્યું હતું. હોસ્પિટલ ચોકીના જગુભા ઝાલા અને રાજદિપસિંહ ચોૈહાણે સાવરકુંડલા પોલીસને જાણ કરી હતી.

આપઘાત કરનાર વનરાજ ત્રણ ભાઇ અને બે બહેનમાં નાનો તથા કુંવારો હતો. તે છુટક મજૂરી કરી ગુજરાન ચલાવતો હતો. બેભાન હાલતમાં જ મોત નિપજ્યું હોઇ આપઘાતનું કારણ બહાર આવ્યું નથી. સાવરકુંડલા પોલીસ વધુ તપાસ કરે છે.

(11:49 am IST)