Gujarati News

Gujarati News

News of Thursday, 29th November 2018

વિંછીયાના મોઢુકાની સગીરાને આપઘાત માટે મજબુર કરનાર પ્રેમી સામે ગુન્હો નોંધાયો

બે વાર સગીરાને ભગાડી ગયા બાદ પ્રેમી અરવિંદ બારૈયાએ લગ્ન કરવાની ના પાડી ત્રાસ આપતા કોમલ દેવીપૂજકે ઝેરી દવા પી આપઘાત કરી લીધો'તો

રાજકોટ તા. ર૯ :.. વિંછીયાના મોઢૂકા ગામની સગીરાને પ્રેમ જાળમાં ફસાવી આંકડીયા ગામના શખ્સે લગ્નની લાલચ આપી ભગાડી ગયા બાદ લગ્ન કરવાની ના પાડી પ્રેમીના ત્રાસથી સગીરાએ ઝેરી દવા પી આપઘાત કર્યો હતો. સગીરાને આપઘાત માટે મજબૂર કરનાર પ્રેમી સામે પોલીસે ગુનો દાખલ કરી તપાસ આદરી છે.

મળતી વિગત મુજબ વિંછીયાના મોઢુકાના વતની હાલમાં જસદણના ભાડલા ગામ પાસે બાવકુભાઇ ખાચરની વાડીમાં રહેતા દેવીપૂજક પરિવારની ૧૬ વર્ષની સગીરાને વિંછીયાના આંકડીયા ગામનો અરવિંદ વશરામ બારૈયાએ તેને પ્રેમ જાળમાં ફસાવી બે વખત ભગાડી ગયો હતો. બાદ બંને પરત આવી ગયા હતાં. ત્યારબાદ ગત તા. રપ-૮ ના રોજ સગીરાએ અરવિંદને લગ્ન કરવાનું કહેતા તેણે લગ્ન કરવાની ના પાડી દીધી હતી. અને અવારનવાર ઝેરી દવા પી. મરી જવાનું કહી અરવિંદ  સગીરાને માનસીક ત્રાસ આપતો હોઇ તેથી સગીરાએ તા. રપ-૮ ના રોજ ઝેરી દવા પી લેતા બીજા દિવસે તેનું સારવાર દરમ્યાન મોત નિપજયુ હતું. આ બનાવ અંગે સગીરાની માતાએ ભાડલા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવતા સગીરાને મરવા માટે મજબુર કરવા મુજબની કલમ હેઠળ અરવિંદ બારૈયા સામે ગુનો નોંધી પીઆઇ એન. એચ. જોષીએ તપાસ આદરી છે. (પ-રર)

(11:48 am IST)