Gujarati News

Gujarati News

News of Thursday, 29th November 2018

જ્યાં મરચા સળગ્યા તે જગ્યા યાર્ડની નથી: યાર્ડના ચેરમેન જયંતિ ઢોલ

બાજુમાં જગ્યા વાપરતા હતા ત્યાં આગ લાગી :સંબંધમાં આ જગ્યાએ મરચા રાખવામાં આવેલ હતા

રાજકોટ : ગોંડલ માર્કેટ યાર્ડમાં મરચાના આગ લાગવાની ઘટનામાં ગોંડલ માર્કેટિંગ યાર્ડના ચેરમેન જયંતીભાઈ ઢોલે મહત્વનું નિવેદન આપતા કહ્યું હતું કે જે જગ્યાએ મરચામાં આગ લાગી હતી તે જગ્યા યાર્ડની નથી આ યાર્ડની બાજુની જગ્યાએ મરચા રાખવામાં આવ્યા હતા ત્યાં આગ લાગી હતી યાર્ડની બાજુમાં સબંધના દાવે મરચા રાખવા દેવામાં આવ્યા હતા જોકે આગને કાબુમાં કરી લેવાઈ છે

 ગોંડલ યાર્ડમાં મરચામાં આગ લાગવાની ઘટનાને રાજકીય સ્વરૂપ અપાતા ગોંડલ યાર્ડના ચેરમેન જયંતીભાઈ ઢોલે સ્પષ્ષ્ટતા કરી હતી

(11:31 pm IST)