Gujarati News

Gujarati News

News of Monday, 29th October 2018

મહુવામાં હિંસા મામલે ડીએસપીની આકરી કાર્યવાહી : ફરજમાં બેદરકારી બદલ 21 પોલીસકર્મીઓ સસ્પેન્ડ

હોમગાર્ડના 10 જવાનો સામે પણ કાર્યવાહીના આદેશ

 

ભાવનગરના મહુવામાં વીએચપી પ્રમુખની હત્યા અને હિંસા બાદ ડીએસપીએ આકરી કાર્યવાહી કરતા એક સાથે 12 પોલીસકર્મીઓને સસ્પેન્ડ કર્યા છે મહુવાના ખૂટવડા, ગંગાજળિયા અને હેડક્વાર્ટરના કર્મીઓ મળી કુલ 12 પોલીસકર્મીઓને સસ્પેન્ડ કર્યા છે સસ્પેન્ડ કરવામાં આવેલા તમામ પોલીસકર્મી પર થોડા દિવસ પહેલા VHPના નેતાની હત્યા બાદ ફાટી નિકળેલા તોફાન દરમિયાન બેદરકારી દાખવવાનો આરોપ લગાવવામાં આવ્યો છે.

  વિગત પ્રમાણે ભાવનગર DSP એક સાથે 21 પોલીસકર્મીને સસ્પેન્ડ કરી દેતા ખળભળાટ મચી જવા પામ્યો છે,સસ્પેન્ડ કરાયેલા  21 પોલીસકર્મીમાં 12 પોલીસકર્મી ખૂટવડા, ગંગાજળિયા અને હેડક્વાર્ટરના છે, જ્યારે અમરેલીના 7 અને બોટાદના 2 કર્મચારી હોવાનું બહાર આવ્યું છે.હોમગાર્ડના 10 જવાનો સામે પણ કાર્યવાહીના આદેશ કરવામાં આવ્યા છે.

(11:39 pm IST)