Gujarati News

Gujarati News

News of Monday, 29th October 2018

એક વર્ષ પહેલા અકસ્માતમાં ઘવાયેલા ઉપલેટાના મજેઠી ગામના આધેડનું મોત

રાજકોટ તા. ૨૯: એક વર્ષ પહેલા ગોંડલ નજીક ખોડિયાર હોટેલ પાસે વાહન અકસ્માતમાં ઘાયલ થયેલા ઉપલેટાના મજેઠી ગામના આધેડનું મોત નિપજ્યું છે.

મજેઠી રહેતાં દિનેશભાઇ દુદાભાઇ વાઢેર (ઉ.૪૫) એકાદ વર્ષ પહેલા બાઇક હંકારીને જતાં હતાં ત્યારે ખોડિયાર હોટેલ નજીક બીજા મોટર સાઇકલ સાથે અકસ્માત સર્જાતા ઇજા થઇ હતી. પ્રારંભે દિનેશભાઇને ઘરમેળે સારવાર અપાઇ હતી. બાદમાં અમદાવાદ હોસ્પિટલમાં દાખલ કરાયા હતાં. ત્યાંથી છેલ્લે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયા હતાં. અહિ ગત રાત્રે મૃત્યુ નિપજતાં પરિવારજનોમાં શોક છવાઇ ગયો હતો. હોસ્પિટલ ચોકીના એએસઆઇ થોભણભાઇ ટીલારા અને દિપસિંહ ચોૈહાણે કાગળો કરી ગોંડલ પોલીસને જાણ કરી હતી.

(12:04 pm IST)