Gujarati News

Gujarati News

News of Thursday, 29th September 2022

દ્વારકા જગદગુરૂ શંકરાચાર્યજીનાં બંને શિષ્‍યોનું અભિષેક પૂજન

(વિનુભાઇ સામાણી દ્વારા) દ્વારકા, તા.૨૮: બ્રહ્મલીન અનંતશ્રી વિભૂષિત જ્‍યોતિષપીઠાધીશ્વર એવં દ્વારકાશારદાપીઠાધીશ્વર જગદગુરુ શંકરાચાર્ય સ્‍વામી સ્‍વરૂપાનંદ સરસ્‍વતીજી મહારાજશ્રીના ઈચ્‍છાપત્ર મુજબ બ્રહ્મલીન પૂજ્‍ય મહારાજશ્રી ના બન્ને દંડી સન્‍યાસી શિષ્‍યો દંડી સ્‍વામી સદાનંદ સરસ્‍વતીજી ને દ્વારકાશારદાપીઠાધીશ્વર જગદગુરુ શંકરાચાર્ય અને દંડી સ્‍વામી અવિમુક્‍તેશ્વરાનંદ સરસ્‍વતીજીને બદ્રીનાથ જ્‍યોતિષપીઠાધીશ્વર જગદગુરુ શંકરાચાર્ય તરીકે  ર્ંદક્ષિણામ્‍નાય અનંતશ્રી વિભુષિત શળંગેરી શારદાપીઠાધીશ્વર જગદગુરૂ શંકરાચાર્ય સ્‍વામીશ્રી ભારતીતીર્થજી મહારાજર્શ્રીં દ્વારા ર્ંપશ્‍ચિમામ્‍નાય  અનંતશ્રી વિભુષિત દ્વારકા શારદાપીઠાધીશ્વર જગદગુરૂ શંકરાચાર્ય સ્‍વામીશ્રી સદાનંદ સરસ્‍વતીજી મહારાજર્શ્રીં તથા ર્ંઉત્તરામ્‍નાય અનંતશ્રી વિભુષિત બદ્રીનાથ જયોતિષપીઠાધીશ્વર જગદગુરૂ શંકરાચાર્ય સ્‍વામીશ્રી અવિમુક્‍તેશ્વરાનંદર્જીં બન્ને ની શંકરાચાર્ય તરીકે નિયુક્‍તિ કરવામાં આવી તથા બન્ને પીઠના શંકરાચાર્ય તરીકે બન્નેનું અભિષેક પુજન કરવામાં આવ્‍યું અને  શંકરાચાર્ય તરીકે ઘોષિત કરવામાં  આવ્‍યા.(તસ્‍વીરઃ દિપેશ સામાણીઃ દ્વારકા)

(11:51 am IST)