Gujarati News

Gujarati News

News of Wednesday, 29th September 2021

સાવરકુંડલા એસ.ટી.-કર્મચારીઓના પડતર પ્રશ્નો અંગે સૂત્રોચ્ચાર

સાવરકુંડલાઃ ગુજરાત રાજય એસ.ટી. નિગમ સંચાલિત રાજયનાં તમામ ડેપોમાં ફરજ બજાવતા કર્મચારીઓની પડતર માંગણીઓ અંગે કોઇ નિકાલ ન આવતા એસ.ટી. માન્ય સંગઠનો દ્વારા અનેક કાર્યક્રમોનું આયોજન કરાયું છે. સાવર કુંડલા ડેપોના કર્મચારીઓએ સુત્રોચ્ચારનો કાર્યક્રમ યોજયો હતો. જેમાં પડતર માંગણીઓ પૂર્ણ કરવાની માંગ કરવામાં આવી હતી આ અંગે સાવરકુંડલા એસ.ટી. સંકલન સમિતિના અગ્રણીઓ અને કર્મચારીઓએ સુત્રોચ્ચાર કર્યા હતા. ઉપરાંત તા. ૪ થી ૭ ઓકટોબર દરમ્યાન કર્મચારીઓ પોતાની ર૦થી વધુ પડતર માંગણીઓ અંગે તે સમયે ઘંટનાદ કરશે. 

(1:07 pm IST)