Gujarati News

Gujarati News

News of Saturday, 29th September 2018

રિસામણે બેઠેલ પત્નીએ આવવાની ના પાડતા પતિએ છરી ઝીંકી દીધીઃ ગોંડલના શ્રીનાથગઢનો બનાવ

ઈજાગ્રસ્ત સંગીતાબેન દેવીપૂજકને રાજકોટ ખસેડાયાઃ રાજકોટ સ્થિત પતિ અશ્વિનની શોધખોળ

રાજકોટ, તા. ૨૯ :. ગોંડલના શ્રીનાથગઢ ગામે રિસામણે બેઠેલ પત્નિએ સાસરે આવવાની ના પાડતા પતિએ છરી ઝીંકી ખૂની હુમલો કર્યો હતો. બનાવ બાદ નાસી છૂટેલ રાજકોટ સ્થિત પતિની પોલીસે શોધખોળ હાથ ધરી છે.

પ્રાપ્ત વિગતો મુજબ ગોંડલના શ્રીનાથગઢ ગામે સંગીતાબેન ઉર્ફે સગુબેન દેવીપૂજકને તેના પતિ અશ્વિન લાલભાઈ મકવાણા (દેવીપૂજક)એ છરીના ચાર ઘા ઝીંકી દેતા સંગીતાબેનને ગંભીર હાલતમાં સારવાર અર્થે પ્રથમ ગોંડલ બાદ રાજકોટ હોસ્પીટલમાં ખસેડાયેલ છે. પોલીસના જણાવ્યા મુજબ સંગીતાબેન છેલ્લા છ માસથી રિસામણે તેના પિયર શ્રીનાથગઢ ગામે હતી અને તેનો પતિ અશ્વિન દેવીપૂજક રે. વનરાવન સોસા. આવાસના કવાર્ટર કાલાવડ રોડ રાજકોટ ગઈકાલે બપોરે શ્રીનાથગઢ ગામે પત્નિ સંગીતાબેન તેડવા ગયો હતો પરંતુ બન્ને વચ્ચે ઝઘડો થતા ઉશ્કેરાયેલ પતિ અશ્વિને પત્નિ સંગીતાની છાતીમા, પેટમાં તથા હાથમાં છરીના ચાર ઘા મારી ખૂની હુમલો કરી નાસી છૂટયો હતો.

આ બનાવ અંગે પોલીસે ઈજાગ્રસ્ત સંગીતાબેનની ફરીયાદ પરથી પતિ અશ્વિન સામે હત્યાના પ્રયાસનો ગુન્હો દાખલ કરી શોધખોળ હાથ ધરી છે. વધુ તપાસ પીએસઆઈ એ.વી. જાડેજા ચલાવી રહ્યા છે.(૨-૮)

(12:10 pm IST)