Gujarati News

Gujarati News

News of Thursday, 29th August 2019

જૂનાગઢમાં ૩ સપ્ટેમ્બર સુધી કતલખાના બંધ રાખવા આદેશ

પર્યુષણ પર્વ નિમિતે મ્યુ.કોર્પોરેશન દ્વારા

જૂનાગઢ તા.૨૯ : મહાનગર સેવા સદનના મા.કમિશ્નરશ્રીની એક અખબારી યાદીમાં જણાવ્યું છે કે જૂનાગઢ મહાનગર સેવા સદન શહેરી વિસ્તારમાં ચાલતા કતલખાના બંધ રાખવા આદેશ કરવામાં આવે છે.

રાજય સરકારશ્રીના વિભાગ શહેરી ગૃહ નિર્માણ વિભાગના પરિપત્રના આધારે આગામી પર્યુષણ પર્વ નિમિતે તા.૨૬ ઓગષ્ટથી તા.૩૦ સપ્ટેમ્બર સુધી કુલ ૯ દિવસ કતલખાના બંધ રાખવા તેમજ માસ મચ્છી મટન વગેરેનું વેચાણ કરવા પર પ્રતિબંધ જાહેર કરવામાં આવેલ છે.

આ અંગેનું જાહેરનામું પણ પ્રસિધ્ધ કરવામાં આવેલ છે. જેથી આ સમય દરમિયાન કતલખાના બંધ રાખવાનો અમલ ચુસ્તપણે કરવો અન્યથા મહાનગર સેવા સદન દ્વારા ચેકીંગ દરમિયાન જાહેરનામાના ભંગ બદલ શિક્ષા કરવામાં આવશે તેમ મહાપાલિકાની સતાવાર યાદીમાં જણાવાયું છે.

(11:36 am IST)