Gujarati News

Gujarati News

News of Wednesday, 29th August 2018

મોરબીમાં મજુર ભગવાન રબારીએ ગળાફાંસો ખાઇ જીવાદોરી ટુકાવી

મોરબી, તા.૨૯: મૂળ બનાસકાંઠાના રહેવાસી અને હાલ મોરબી નજીકના ઓસીસ કારખાનામાં રહીને મજુરી કરતા ભગવાન ભીમા અજાણા રબારી (ઉવ ૩૫) વાળાએ કોઈ કારણોસર ગળેફાંસો ખાઈ આપદ્યાત કરી લીધો છે પોલીસે આપઘાતના કારણ અંગે તપાસ હાથ ધરી છે.

કારીગર શેઠની કાર ચોરી ગયો

મોરબીના સામાકાંઠે વસવાટ કરતા અને શિવ શંકર ડેરીના સંચાલક વિવેક ગુણવંતરાય રામાવત તેની બ્લેક કલરની વર્ના કાર દુકાનમાં કામ કરતા કારીગર દિનેશ રામભાઈ ડારાને આપી હોય તે અજાણ્યા ઇસમ સાથે મળીને બંને શખ્શો તેની કાર ચોરી કરી નાસી ગયા છે પોલીસે ૯.૫૯ લાખની કિમતની કાર ચોરીની ફરિયાદ નોંધી વધુ તપાસ ચલાવી છે.

(3:45 pm IST)