Gujarati News

Gujarati News

News of Wednesday, 29th August 2018

ઢસા-દામનગર વચ્ચેના નારણગઢ ગામ પાસે અજાણ્યા પુરૂષની હત્યા કરીને લાશ ફેંકી દીધી

આટકોટ, તા., ૨૯: ભાવનગર જીલ્લાના ઢસા નજીક અજાણ્યા પુરૂષની હત્યા કરીને લાશ ફેંકી દેવામાં આવતા ખળભળાટ મચી ગયો છે.

પ્રાપ્ત માહીતી મુજબ દામનગર-નારણગઢ વચ્ચેના રોડ ઉપર આવેલ નારણગઢ ગામથી ૧૦૦ મીટર દુર આવેલ બારનાળા પાસે અજાણ્યા પુરૂષનો મૃતદેહ પડયો હોવાની માહીતી પોલીસને આપવામાં આવી હતી.

જેથી પોલીસે ઘટના સ્થળે પહોંચીને મૃતદેહનું નીરીક્ષણ કર્યુ હતું. જેમાં ડાબો હાથ કપાયેલો છે તેમજ જમણા હાથના કાંડા ઉપરનો ભાગ કપાયેલી હાલતમાં છે આ ઉપરાંત કમ્મરથી નીચેના પગના અવશેષો પણ નથી. છાતીના ભાગે હથીયારનો ઉંડો ઘા ઝીંકયો હોય તેવું નિશાન છે. પોલીસે મૃતદેહને ફોરેન્સીક પીએમ માટે ભાવનગર ખસેડેલ છે.

આ બનાવની જાણ થતા ઢસાના સામાજીક કાર્યકર મનીષભાઇ દવે પહોંચી ગયા હતા.  હત્યા કરીને ફેંકી દેવાયેલ હાલતમાં મળેલી આ લાશ કોની છે? તે અંગે પોલીસે તપાસ હાથ ધરી છે.

પ્રાથમીક તપાસમાં હત્યા કરીને ફેંકી દેવાયેલ હાલતમાં લાશ મળી હોવાનું જાણવા મળ્યું છે જો કે એવી પણ શંકા છે કે બે-ત્રણ દિવસથી મૃતદેહ અહી પડયો હોવાથી કોઇ જનાવર તેમના અવશેષો ખાઇ ગયા હોય.

(3:42 pm IST)