Gujarati News

Gujarati News

News of Wednesday, 29th August 2018

માંગરોળ-પોરબંદર એસ.ટી. મનસ્વી રીતે ચલાવાતાની ફરિયાદો

ગોસા (ઘેડ) તા.૨૯: જુનાગઢ એસ.ટી. ડિવીઝનના માંગરોળ એસ.ટી.ડેપો દ્વારા ચલાવાતી માંગરોળ-પોરબંદર એસ.ટી.બસમાં મનમાનીના કારણે આ રૂટમાં પોતાની રીતે મનપડે ત્યારે બસના સ્ટોપ અને સમયમાં ફેરફાર તેવો અભિગમ રાખતા હોવાથી ઘેડ વિસ્તારના પાતા, ચિંગરીયા, ગોરસર, મોચા, બળેજ, રાતિયા સહિતના ગામડાઓના મુસાફરો, વિદ્યાર્થીનિઓમાંથી ફરિયાદો ઉઠવા પામતાં આ ગામડાઓ કુતિયાણા-રાણાવાવ મત વિસ્તારમાં આવતા હોય ત્યારે આ વિસ્તારના ધારાસભ્ય કાંધલભાઇ જાડેજા સુધી આ ફરિયાદ આવતાં જુનાગઢ એસ.ટી. વિભાગીય ડી.સી.ને તેમજ માંગરોળ ડેપો મેનેજરને માંગરોળ-પોરબંદરનો બંધ કરાયેલો સ્ટોપ ફરી ચાલુ કરાવી અપાવવા રજુઆત કરી છે.

માંગરોળ ડેપો પરથી ઉપડતો માંગરોળ-પોરબંદર સવારનો રૂટ પ-૪૫ ના સમયમાં પણ હમણાં ફેરફાર કરીને પ-૩૦ નો કરવામાં આવેલ છે તે રાબેતા મુબજ પ-૪૫ના સમયનો કરીને પાતા, ગોરસર, ચિંગરીયા, મોચા, બળેજ તેમજ રાતિયા આ ગામના લોકોને તેમજ અભ્યાસ અર્થે આવતા વિદ્યાર્થીને સુવિધારૂપ  બંધ ઉપરોકત ગામોના બંધ કરાયેલા સ્ટોપને ફરી ચાલુ કરી આપવા ભલામણ સાથે રજુઆત કરી છે.(૧.૮)

(12:00 pm IST)