Gujarati News

Gujarati News

News of Wednesday, 29th August 2018

સુત્રાપાડામાં માંધાતા ગ્રુપ દ્વારા જનતા તાવડો

સુત્રાપાડાઃ શ્રી માંધાતા ગ્રુપ દ્વારા છેલ્લા ૪ વર્ષથી સુત્રાપાડા શહેર ખાતે ૨૦૦ થી વધુ કાર્યકરો દ્વારા જનતા તાવડાનુ આયોજન કરવામા આવેલ છે. જેમા ગીર સોમનાથ જીલ્લા માંધાતા ગ્રુપના પ્રમુખ રામભાઇ ચૌહાણ ઘર આગણે પટાંગણમાં જન્માષ્ટમીના તહેવાર નિમિતે છેલ્લા ૭ દિવસ માત્ર દિવસ અને રાત તાવડો ચાલુ રહે છે. જેમા ગાંઠીયા ચવાણુ સેવ મીઠાઇ સહિત શુધ્ધ અને પોષણમય વસ્તુઓ વપરાય છે. અને નહી નફો નહી નુકશાનના ધોરણે રાહત દરે વેચાણ કરવામા આવે છે. તેમજ માંધાતા ગ્રુપ ગીર સોમનાથ પ્રમુખ રામભાઇ ચૌહાણ તેમજ યુવાનો આગેવાનો સાથે મળીને જહેમત ઉઠાવેલ છે. જનતા તાવડાનો પ્રારંભ કરાયો તે તસ્વીર.(૧૧.૩)

(11:59 am IST)