Gujarati News

Gujarati News

News of Wednesday, 29th August 2018

વઢવાણઃ પરિણીતાને ધમકી આપી દુષ્કર્મના ગુનામાં આરોપીની જામીન અરજી નામંજુર

વઢવાણ તા.૨૯: જોરાવર નગરમાં રહેતી પરિણીતાના છોકરાને જાનથી મારી નાખવાની ધમકી આપીને દુષ્કર્મ આચરવાના કેસમાં પ્રદીપભાઇ પુનાણી હાલ જેલમાં છેે જેમાં રેગ્યુલર જામીન પર મુકત થવા તેમણે કોર્ટમાં કરેલી અરજી કોર્ટે નામંજુર કરી હતી.

જોરાવર નગરમાં રહેતી પરિણીતા બે વર્ષ પહેલા ઘરે એકલી હતી ત્યારે તેના પતિ સાથે કડીયા કામ કરતા રતનપરના પ્રદીપભાઇ બાબુભાઇ પુનાણીએ તેના ઘરે આવી છોકરાને મારી નાખવાની ધમકી આપી પરિણીતા સાથે બળજબરી કરી દુષ્કર્મ આચર્યુ હતું.આ બનાવની જોરાવર નગર પોલીસ મથકે પીડિત પરિણીતાએ તા. ૧૬-૬-૧૮ના રોજ ફરિયાદ નોંધાવતા પોલીસે પ્રદીપભાઇ પુનાણીની ધરપકડ કરી હતી. જેમાં પ્રદીપ ભાઇ એ રેગ્યુલર જામીન પર મુકત થવા કોર્ટમાં અરજી કરી હતી.

આ અરજીની સુનાવણી ચાલી જતાં સરકારી વકીલ ટીે.એ. વ્યાસની દલીલોને ધ્યાને લઇ એડિશનલ સેસન્સ જજ એચ.બી. પાનેરાએ અરજી ના મંજુર કરી હતી.(૧.૬)

 

(11:58 am IST)