Gujarati News

Gujarati News

News of Thursday, 29th July 2021

મોરબીની શાકમાર્કેટમાં વાનરરાજ ચડી આવતા લોકોમાં કુતુહલ સર્જાયું

નગર દરવાજા નજીક આવેલ શાકમાર્કેટમાં વાનર રાજ ઓચિંતા આવી ચડ્યા અને શાકભાજીની લારી પર ચડી ગયા

મોરબીના નગર દરવાજા નજીક આવેલ શાકમાર્કેટમાં શાકભાજી તેમજ અન્ય જીવનજરૂરી ચીજવસ્તુઓ માટે ગ્રાહકો મોટી સંખ્યામાં આવતા હોય છે મોરબી ખરીદી માટેનું મુખ્ય મથક હોવાથી મોરબી શહેર ઉપરાંત ગ્રામજનો પણ ખરીદી અર્થે આવતા હોય છે જેમાં આજે એક વાનર રાજ ઓચિંતા બજારમાં આવી ચડ્યા હતા અને એક શાકભાજીની લારી પર ચડી ગયા હતા વાનરરાજે થોડી વાર માટે બજારમાં ધમાલ કરી હતી જોકે બજારમાં વાનર ક્યાંથી ચડી આવ્યો તે કુતુહલ લોકોમાં સર્જાયું હતું તો બાળકો વાનરને જોઇને ખુશ જોવા મળ્યા હતા

(10:56 pm IST)