Gujarati News

Gujarati News

News of Thursday, 29th July 2021

બપોરે ૧ર વાગ્યે

સૌરાષ્ટ્ર-કચ્છમાં વાતાવરણ પલ્ટોઃ વાદળા છવાયાઃ જામનગર-કોડીનાર માંડવીમાં ઝાપટા

રાજકોટ તા.ર૯ : રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં આજે સવારથી વાતાવરણમા પલ્ટો આવ્યો છે અને વાદળછાયુ વાતાવરણ છવાયું છે.

આજે સવારથી બપોરના ૧ર વાગ્યા સુધીમાં જામનગર અને  ગીર સોમનાથ જીલ્લાના કોડીનાર તથા કચ્છના માંડવીમાં ઝાપટા વરસ્યા છે.

અચાનક કાળા ડિબાંગ વાદળા છવાઇ જાય છે અને થોડીવારમાં સામાન્ય વાતાવરણ થઇ જાય છે. જો કે ધોધમાર વરસાદ વરસે તેવું વાતાવરણ છવાઇ છે. પણ વરસાદ વરસતો નથી. હવે ફરી પાછા સાર્વત્રીક વરસાદની જરૂર છે. 

(2:47 pm IST)