Gujarati News

Gujarati News

News of Thursday, 29th July 2021

ધ્રાંગધ્રાના દુદાપુર ગામ પાસે ટ્રાવેલ્સ બસ અને ટ્રક વચ્ચે અકસ્માત : એકનું મોત : પાંચ ઘાયલ

ઇજાગ્રસ્તોને 108 એમ્બ્યુલન્સ વાનમાં સારવાર અર્થે સરકારી હોસ્પિટલે લઇ જવાયા

કચ્છ અમદાવાદ હાઉવે પર ધ્રાંગધ્રાના દુદાપુર ગામ પાસે ટ્રાવેલ્સ બસ અને ટ્રક વચ્ચે અકસ્માતમાં એકનું મોત થયુ હતુ અને પાંચ લોકો ઘાયલ થયા હતા. ઇજાગ્રસ્તોને 108 એમ્બ્યુલન્સ વાનમાં સારવાર અર્થે સરકારી હોસ્પિટલે લઇ જવાયા હતા. પોલિસે ઘટના સ્થળે દોડી જઇ અકસ્માત અંગેનો ગુન્હો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.

. આ ઘટનાની જાણ થતા લોકોના ટોળેટોળા ઘટના સ્થળે એકઠા થઇ ગયા હતા. આ ગમખ્વાર અકસ્માતની ઘટનામાં એક વ્યકિતનું મોત થયુ હતુ અને પાંચ લોકો ઘાયલ થયા હતા. ઇજાગ્રસ્તોને સ્થાનિક લોકો અને મુસાફરોની મદદથી લોહિલુહાણ હાલતમાં 108 એમ્બ્યુલન્સ વાનમાં સારવાર અર્થે ધ્રાંગધ્રા સરકારી હોસ્પિટલે લઇ જવાયા હતા. આ અકસ્માતના ઘટનાની જાણ થતા પોલિસે ઘટના સ્થળે દોડી જઇ લાશને પોસ્ટ મોર્ટમ માટે ધ્રાંગધ્રા સરકારી હોસ્પિટલે મોકલી આપી અકસ્માતે મોત અંગેનો ગુન્હો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.

(11:21 pm IST)