Gujarati News

Gujarati News

News of Thursday, 29th July 2021

કોરોના ઈફેક્ટ : મોરબીમાં આ વર્ષે પણ સાતમ આઠમનો લોકમેળો નહિ યોજાય

પાલિકા તંત્ર દ્વારા આ વર્ષે પણ લોકમેળાનું આયોજન કરવામાં નહિ આવે.: ચીફ ઓફિસર

મોરબી :  દોઢ વર્ષથી ચાલી રહેલ કોરોના મહામારીને પગલે ગત વર્ષે લોકમેળાનું આયોજન મોકૂફ રાખવામાં આવ્યું હતું તો ચાલુ વર્ષે પણ હજુ કોરોનાને ધ્યાને લઈને સાતમ આઠમ નિમિતે યોજાનાર લોકમેળો રદ કરવામાં આવ્યો છે
મોરબી નગરપાલિકા તંત્ર દ્વારા દર વર્ષે પવિત્ર શ્રાવણ માસમાં આવતા સાતમ-આઠમના તહેવારો નિમિતે લોક મેળાનું આયોજન કરવામાં આવતું હોય છે જોકે કોરોના મહામારીને ધ્યાને લઈને ચાલુ વર્ષે પણ મેળાનું આયોજન રદ કરવામાં આવ્યું છે પાલિકાના ચીફ ઓફિસર ગીરીશભાઈ સરૈયાએ જણાવ્યું હતું કે પાલિકા તંત્ર દ્વારા આ વર્ષે પણ લોકમેળાનું આયોજન કરવામાં નહિ આવે.

(9:28 pm IST)