Gujarati News

Gujarati News

News of Wednesday, 29th June 2022

ભાવનગરમાં કોરોનાના નવા 5 કેસ નોંધાયા : વધુ 17 દર્દીઓ કોરોના મુક્ત થતા ડિસ્ચાર્જ કરાયા

ઘોઘાસર્કલ રાણીકા ગઢેચી વડલા વિસ્તારમાં અને ભાવનગર ગ્રામ્યમાં મહુવાના નીચા કોટડા ગામે કોરોનાના કેસ નોંધાયા

(  વિપુલ હિરાણી દ્વારા ) ભાવનગર : ભાવનગરમાં આજે કોરોનાના પાંચ પોઝિટિવ કેસ નોંધાયા છે જેમાં ભાવનગર શહેરમાં ચાર અને ભાવનગર ગ્રામ્યમાં એક કેસ નોંધાયો છે. ભાવનગર શહેરના ઘોઘાસર્કલ રાણીકા ગઢેચી વડલા વિસ્તારમાં અને ભાવનગર ગ્રામ્યમાં મહુવાના નીચા કોટડા ગામે કોરોનાના કેસ નોંધાયા છે. આજે ભાવનગર જિલ્લામાંથી 17 દર્દીઓ કોરોના મુક્ત થતાં ડિસ્ચાર્જ થયા છે. જેમાં ભાવનગર શહેરમાં 15 દર્દીઓ અને ભાવનગર શહેરના 2 દર્દીઓનો સમાવેશ થાય છે. હવે ભાવનગર જિલ્લામાં કોરોનાના એક્ટિવ દર્દીઓની સંખ્યા  78 રહેવા પામી છે.

(7:53 pm IST)