Gujarati News

Gujarati News

News of Wednesday, 29th June 2022

દામનગરઃ ગારીયાધાર રોડ ઉપર જોખમી ખાડાથી અકસ્‍માતનો ભય

(વિમલ ઠાકર દ્વારા) દામનગર, તા.૨૯: દામનરગથી ગારીયાધાર તરફ જતા સ્‍ટેટ ના માર્ગ ઉપર જોખમી ખાડો અકસ્‍માત નોતરે તે પહેલાં સમારકામ કરો દામનગર ગારીયાધારના ગ્રામ્‍ય પાડરશીંગા કણકોટ પાંચતલાવડા શાખપુર નાના રાજકોટ તરફ જતા સ્‍ટેટના માર્ગ ઉપર કણકોટ થી વગડીયા હનુમાનજી વચ્‍ચે ધોરી માર્ગ ઉપર જોખમી ભુવો પડ્‍યો છે આ ભુવો કોઈ મોટો અકસ્‍માત નોતરે તે પહેલાં તંત્ર દ્વારા ઝડપી સમારકામ કરાય તેવી ગ્રામ્‍ય વિસ્‍તારો ના રાહદારી ઓમાં થી માંગ ઉઠવા પામી છે આ માર્ગ કયારે કઈ એજન્‍સી એ બનાવ્‍યો ? ગેરીટી પિરિયડ માં છે કે પૂર્ણ થયેલ છે તેવી બાબતો પહેલા આ માર્ગ ઉપર જોખમી ખાડા ઉપર સમારકામ કરાય તે જરૂરી છે. તેવી માગ શાખપુરના ગ્રામ જનો કરી રહ્યા છે

(11:02 am IST)