Gujarati News

Gujarati News

News of Saturday, 29th June 2019

ધ્રોલના લૈયારા ગામે વાડીમાં જુગારધામ ઉપર દરોડો રાજકોટના ૧ર શખ્સો ઝડપાયા

વાડી માલિક ઉપરાંત રાજકોટના બે શખ્સો સહિત ૪ નાસી ગયા : ર લાખ ૪૦ હજાર રોકડા, બે કાર, એક બાઇક કબ્જે : જામનગર પોલીસની કામગીરી

જામનગર, તા. ર૯ : ધ્રોલ તાલુકાના લૈયારાગામની સીમમાં પ્રધ્યુમનસિંહ ઉર્ફે પદુભા મંગળસિંહ જાડેજાની વાડીના મકાનમાં ચાલતા ઘોડી પાસાના જુગારના અખાડામાંથી રૂ. ર,૪ર,પ૦૦/-તથા ઘોડી પાસા નંગ-ર કિ.રૂ. તથા બે ફોર વ્હીલ કાર તથા એક મોસા. મળી કુલ કિ.રૂ. ૭,રર,પ૦૦ના મુદામાલ સાથે ૧૩ શખ્સોને પકડી પાડી તેમના વિરૂદ્ધ એ.એસ.આઇ. જયુભા ઝાલાની ફરીયાદ આધારે પો.સ.ઇ. કે.કે. ગોહિલએ કાર્યવાહી કરેલ છે.

જેમાં (૧) બસીરભાઇ ઉર્ફે કારો હુશેનભાઇ સંધી રહે. જંગલેશ્વર, રાજકોટ (ર) રજાકભાઇ નુરમામદભાઇ પીંજારા રહે. નવા થોરાળા-રાજકોટ (૩) નીલેશભાઇ રમણીકભાઇ લોહાણા રહે. ભવનાથ પાર્ક શેરી નંબર-ર, રાજકોટ (૪) જેઠાનંદ જામનદાસ સીંધી રહે. પરસાણાનગર-રાજકોટ (પ) સોયબભાઇ અસરફભાઇ મેમણ રહે. જંલેશ્વરનગર-રાજકોટ (૬) તન્વીરભાઇ રફીકભાઇ મેમણ રહે. જંગલેશ્વરનગર-રાજકોટ (૭) શબીરભાઇ ઉર્ફે સબો અલીભાઇ સંધી રહે. કુંભારવાડા મેઇન રોડ, રાજકોટ (૮) નિલેશભાઇ રાજુભાઇ રામવાણી રહે. સીંધી કોલોની, જંકશન પ્લોટ-રાજકોટ (૯) વિપુલભાઇ છગનભાઇ પટેલ રહે. બાલાજી હોલ પાછળ, પટેલ પાર્ક-રાજકોટ (૧૦) ગનીભાઇ અબ્દુલભાઇ ઘાંચી રહે. જંગલેશ્વર મે. રાજકોટ (૧૧) પરેશભાઇ ઉર્ફે મુછળી રમેશભાઇ કુબેર રહે. દિગ્જામ સર્કલ, ચેમ્બર કોલોની-જામનગર (૧ર) અશોકભાઇ હોથચંદભાઇ સીંધી રહે. સીંધી લોકોની જંકશન પ્લોટ રાજકોટ. (૧૩) મજીદભાઇ સુલેમાનભાઇ સંધી રહે. જંકશન પ્લોટ, મોરબી હાઉસ પાસે, રાજકોટ પકડાઇ ગયા છે.

જયારે રેઇડ દરમ્યાન (૧) પ્રધ્યુમનસિંહ ઉર્ફે પદુભા મંગળસિંહ જાડેજા રહે. લૈયારા (ર) હબીબ ઉર્ફે અબીયો કારૂભાઇ ઠેબા રહે. જંગલેશ્વર-રાજકોટ (૩) વિજયભાઇ પરસોતમ ગુજર રહે. દ્વારકા (૪) રઘો ભરવાડ રહે. સોરઠીયા માર્કેટીંગ યાર્ડ પાસે, રાજકોટ વાળાને ફરારી જાહેર કરેલ છે.

આ કાર્યવાહી પો. ઇન્સ. આર.એ. ડોડીયાની સુચનાથી પો.સ.ઇ. કે.કે. ગોહીલ, આર.બી. ગોજીયા તથા એલ.સી.બી. સ્ટાફના જયુભા ઝાલા, સંજયસિંહ વાળા, બસીરભાઇ મલેક, હરપાલસિંહ સોઢા, ભરતભાઇ પટેલ,નાનજીભાઇ પટેલ, શરદભાઇ પરમાર, દિલીપ તલવાડીયા, ફીરોજભાઇ દલ, ખીમાભાઇ ભોચીયા, હીરેનભાઇ  વરણવા, લાભુભાઇ ગઢવી, ભગીરથસિંહ સરવૈયા, હરદીપભાઇ ધાધલ, નિર્મળસિંહ બી. જાડેજા, પ્રતાપભાઇ ખાચર, વનરાજભાઇ મકવાણા, મીતેશભાઇ પટેલ, અજયસિંહ ઝાલા, અશોકભાઇ સોલંકી, નિર્મળસિંહ જાડેજા, બળવંતસિંહ પરમાર, સુરેશભાઇ માલકીયા, લક્ષ્મણભાઇ ભાટીયા, ભારતીબેન ડાંગર, એ.બી. જાડેજા તથા અરવિંદગીરી વિગેરે દ્વારા કરવામાં આવેલ છે.

(1:18 pm IST)