Gujarati News

Gujarati News

News of Saturday, 29th June 2019

મોરબીના કાળુભાઇ કોળી રફાળીયા રોડ પરથી ઇજાગ્રસ્ત મળ્યા બાદ મોત

નશો કરવાની ટેવ ધરાવતાં યુવાનને કોઇ વાહને ઠોકરે ચડાવ્યાની પરિવારજનોને શંકા

રાજકોટ તા. ૨૯: મોરબીમાં રણુજાનગરમાં રહેતો કોળી યુવાન કાળુભાઇ ગોવિંદભાઇ વડદોરીયા (ઉ.૪૦) રાત્રીના દસેક વાગ્યે જુના રફાળીયા રોડ પર ઇજાગ્રસ્ત હાલતમાં મળતાં મોરબી સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયેલ. પરંતુ અહિ વહેલી સવારે મોત નિપજ્યું હતું.

હોસ્પિટલ ચોકીના મહેન્દ્રભાઇ પરમાર અને દિપસિંહ ચોૈહાણે મોરબી તાલુકા પોલીસને જાણ કરી હતી. મૃતક કાળુભાઇ ચાર ભાઇ અને એક બહેનમાં ત્રીજો તથા અપરિણીત હતો. તે છૂટક ટ્રેકટરના ફેરાની મજૂરી કરતો હતો. તેના ભાઇના કહેવા મુજબ કાળુભાઇને દારૂ પીવાની ટેવ હતી. રાત્રીના નશો કરીને ચાલીને જતો હશે ત્યારે કોઇ વાહને ઠોકરે ચડાવી દીધાની શંકા છે. તે રસ્તા પર ઇજાગ્રસ્ત પડ્યો હોઇ ગામના દિપકભાઇ જેસીંગભાઇ રિક્ષા લઇને નીકળતાં જોઇ જતાં પરિવારજનોને જાણ કરી હતી. મોરબી પોલીસે વિશેષ તપાસ હાથ ધરી છે.

(11:39 am IST)