Gujarati News

Gujarati News

News of Saturday, 29th June 2019

મોરબીના લીલાપર રોડ પરના નાલાની દીવાલ જ નથીઃ અકસ્માતનો વધતો ભય

મોરબી, તા.૨૯:  નગરપાલિકા તંત્રની અનેક બેદરકારી સામે આવતી હોય છે. આવી જ એક ઘોર બેદરકારી લીલાપર રોડ પરના નાલામાં જોવા મળી રહી છે કારણકે નાલાને દીવાલ જ ના હોય અને આ મુખ્ય રસ્તા પરથી વાહનો પસાર થતા હોય છે. જેથી અકસ્માતનો ભય સતાવે છે.

 મોરબી શિવસેના પ્રમુખ કમલેશભાઈ બોરીચા અને ઉપપ્રમુખ ભરતભાઈ ગોગરાએ પાલિકાના ચીફ ઓફિસરને કરેલી રજૂઆતમાં જણાવ્યું છે કે લીલાપર રોડ પર બોરીચાવાસ પાસે આવેલ નાલુ પુલ છે. જેની દીવાલ પાંચ વર્ષથી બિલકુલ છે જ નહિ આ રોડ પરથી પ્રતિદિન હજારો વાહનો પસાર થાય છે. તેમજ અહી સ્મશાન  આવેલું છે જેથી અંતિમયાત્રાઓ આવતી હોય છે જોકે નાલા પરની દીવાલ જ નથી જેથી અકસ્માતનો સતત ભય જોવા મળે છે. ઉપરાંત રાહદારીઓ તેમજ પશુઓ પણ અહીંથી પસાર થતા નાલામાં ખાબકે તેવો ભય સતત તોળાયેલો રહે છે જેહી નાલા પર તાત્કાલિક બંને સાઈડ દીવાલ કરવા અંગે યોગ્ય પગલા ભરવાની માંગ કરાઈ છે.

(11:35 am IST)