Gujarati News

Gujarati News

News of Saturday, 29th June 2019

ભાવનગરમાં એસીડ પીને યુવતિનો આપઘાત

ભાવનગર, તા., ૨૯: શહેરના કાળીયાબીડ વિસ્તારમાં રહેતી શીતલબેન પરસોતમભાઇ ડાભી (ઉ.વ.ર૧)ને છેલ્લા કેટલાક સમયથી પેટમાં દુઃખાવો રહેતો હોય પરીણામે તેણી કોઇ પ્રકારનું કામકાજ કરી શકતી ન હોય તેણીના પિતાએ દવા લઇ સારવાર કરવાનું કહેતા શીતલબેનને માઠુ લાગતા તેણીએ એસીડ ગટગટાવી લેતા ગંભીર હાલતે હોસ્પીટલ ખસેડાયેલ જયાં તેણીનું સારવાર દરમ્યાન મોત નિપજયું હતું.

ગળાફાંસો ખાઇ આપઘાત

ભાવનગર શહેરનાં ઘોઘા રોડ વિસ્તારમાં લાખાવાડ વિસ્તારમાં રહેતા યુવરાજસિંહ ચંદુભા રાણા નામનાં યુવાને તેના ઘેર કોઇ અકળ કારણોસર ગળાફાંસો ખાઇ લઇ આત્મહત્યા વહોરી લીધી હતી.

(11:32 am IST)