Gujarati News

Gujarati News

News of Friday, 29th June 2018

સુત્રાપાડાઃ કણજોતર ગામના મંદિરને અર્પણ કરેલ માલિકીની જગ્યામાં ગેરકાયદેસર દબાણ અંગે મામલતદારને આવેદનપત્ર

સુત્રપાડા, તા.૨૯: સુત્રપાડાનું કણજોતર ગામના જૂના ટીમ્બામાં આવેલા પૌરાણીક મંદિરની જગ્યા જે બાલુભાઇ કરસનભાઇ સોલંકીની ખાતાની સર્વે નં.૩૭૩/૧માં આવેલ હોય જે જમીન મંદિરના વિકાસ માટે અર્પણ કરવામાં આવેલી હતી. જે જમીન રેકર્ડ ઓફ રાઇટસમાં બાલુભાઇ કરસનભાઇ સોલંકીની ખાલસા જમીન તરીકે આવેલ છે જે ધાર્મિક જગ્યાની જમીન ઉપર કબજો કરવા દબાણો કરવામાં આવેલા હોય આ બાબતે તા.૧૯/પ/૨૦૧૭ થી લેખિત રજૂઆત કરવા છતાં દબાણો દૂર કરવામાં આવેલ ના હોય ત્યારે ખાલસા થયેલ જમીન આવેલ હોય મંદિરને અર્પણ કરેલ જમીન ડહપ કરી જવા સતત પેશકદમીથી આગળ વધી રહેલ છે અને અસામાજિકતત્વ દ્વારા દાદાગીરી અને ગુંડાગીરીથી મંદિરમાં આસ્થા ધરાવતા લોકોને રોકવા અડચણ અટકાયતો કરતાં રહેલ છે ત્યારે અધિકારીઓને વારંવાર લેખિત મૌખિક રજુઆતો કરવાં છતા દબાણકર્તાઓને પ્રોત્સાહિત કરતા હોય તેમ કોઇ કાર્યવાહી કરેલ નથી જેને લઇ આક્રમતાથી દબાણકર્તાઓ દાદાગીરી  અને ગુંડાગીરીથી હરકત અટકાયત ઉપર ઉતરી આવે છે ત્યારે તેમને અટકાવવામાં નહીં આવે તો આવતા દિવસોમા કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ બે કાબુ બને તેમ છે ત્યારે આવા અસામાજિકતત્વ સામે કોઇ પણ કાર્યવાહી  નહિ કરવામાં આવે તો મંદિર એમની જગ્યાએ જતાં ભકતાઓમાં ભય સર્જાય છે ત્યારે બાલુભાઇ કરસનભાઇ સોલંકી અને ભરતભાઇ મેરામણભાઇ સોલંકીની આગેવાની હેઠળ બોહળી સંખ્યામાં મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.

(11:46 am IST)