Gujarati News

Gujarati News

News of Friday, 29th June 2018

જામકંડોરણા તાલુકાના નિવૃત શિક્ષકોનું સન્માન

જામકંડોરણાઃ તાલુકા શિક્ષક શરાફી સહકારી મંડળીની વાર્ષિક સાધારણ સભા જામકંડોરણા કોયાણી સમાજ ખાતે મળી હતી. સભામાં મહાવિરસિંહ વાળા, વિજયભાઇ રાણપરીયા, ભરતભાઇ પંડયા, સંજયભાઇ સુતરીયા, ચેતનાબેન રાણપરીયા અને મનોજભાઇ દવેરાની કારોબારીમાં બિનહરીફ વરણી કરવામાં આવેલ તેમજ મહાવિરસિંહ વાળાને પ્રમુખ તરીકે બિનહરીફ જાહેર કરવામાં આવેલ. આ સભામાં નિવૃત થતા શિક્ષકો જે. પી. પરમાર, જેસિંગભાઇ ડાંગર અને ડી.એ. મુસડીયાનું સન્માન કરી વિદાય આપી હતી. આ સભામાં ઉપસ્થિત હોદ્દેદારોએ મંડળની આવક, ખર્ચ નફા સહિતની સઘળી માહિતી ઉપસ્થિત સભાસદોને આપી હતી. સન્માન કરવામાં આવ્યું તે તસ્વીર.  (તસ્વીર. મનસુખ  સી. બાલખા જામકંડોરણા)

(11:41 am IST)