Gujarati News

Gujarati News

News of Tuesday, 30th May 2023

મોરબીમાં કનૈયા હોટેલ અને ગેસ્ટ હાઉસ સચાલક વિરુધ પથિક સોફટવેરમાં રજીસ્ટર ન કરતા ફરિયાદ નોધાઇ.

મોરબી જિલ્લામાં હોટલ સંચાલકો માટે અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું. જે અનુસાર મોરબી જિલ્લાના સમગ્ર વિસ્તારમાં તમામ હોટલો તેમજ ગેસ્ટ હાઉસ ખાતે પ્રાંત, રાજ્ય, દેશ, વિદેશથી આવતા તમામ મુસાફોરોની વિગત આ પથિક સોફ્ટવેરમાં હોટલના માલિક કે સંચાલકો એ નોંધી અપલોડ કરવાની રહેશે. ત્યારે આ જાહેરનામાનો અમલ ન કરનાર હોટલ સંચાલક વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે.

જેમાં રેલ્વે સ્ટેશન રોડ ઉપર આવેલ કનેયા હોટલ એન્ડ ગેસ્ટ હાઉસના મેનેજર માનાભાઇ કેશરાભાઇ રબારી વિરુદ્ધ પથિક સોફ્ટવેરમાં મુસાફરોની નોંધ ન કરી જાહેરનામનો ભંગ કરવા બદલ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

 

(11:59 pm IST)