Gujarati News

Gujarati News

News of Monday, 29th May 2023

પરવાના વગરના તમંચા-કાર્ટીસનાં ગુનામાં પોરબંદર કોર્ટ દ્વારા આરોપીના જામીન મંજુર

પોરબંદર તા.૨૯: પરવાના વગર તમન્‍ચા નંગ - ૨ તથા કાર્ટીશ નંગ - ૧૨ સાથે પકડાયેલા આરોપીઓને જામીન પર મુક્‍ત કરવાનો કોર્ટે હુકમ કર્યો હતો.

અત્રે પ્રાપ્ત વિગત મુજબ કિર્તીમંદિર પો.સ્‍ટે.માં હથિયારધારા ના ભંગ બદલ એટલે કે, ચુનાના ભઠા પાસે જાહેર રોડ ઉપર આરોપી મયુર જીવા ભાદરવડા, પરવાના વગર તમન્‍ચા નંગ- ૨ તથા કાર્ટીશ નંગ - ૧૨ સાથે જાહેરમાં પોલિસ દ્વારા પકડવામાં આવેલ અને તેની સામે ગુન્‍હોદાખલ કરતાં તમન્‍ચો તથા કાર્ટીશ રહીમ વસીમ શેખ ઉર્ફે રાજુ, રહે. વસઈ, પાલધર, મહારાષ્ટ્ર પાસેથી વેંચાણ લિધેલ હોવાનું તપાસ દરમ્‍યાન ખુલવા પામતા બન્ને આરોપીઓને પોલિસ દ્વારા પકડવામાં આવેલા અને કોર્ટમાં રજુ કરવામાં આવેલા હતા.

ત્‍યારબાદ નામ. કોર્ટએ બન્ને પક્ષોને સાંભળ્‍યા બાદ આરોપીઓને યોગ્‍ય શરતોને આધિન રૂા.૧૦,૦૦૦/- ના જામીન પર મુકત કરવાનો હુકમ અદાલતે કરેલો હતો

આ કામમાં આરોપી તરફે જે.પી.ગોહેલની ઓફીસ વતી એડવોકેટ એમ.જી.શિંગરખીયા, એન.જી.જોષી, વી.જી.પરમાર, પી.બી.પરમાર, રાહુલ એમ.શિંગરખીયા, જિગ્નેશ ચાવડા, મયુર સાવનીયા વિગેરે રોકાયેલા હતા.

(2:45 pm IST)